Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 91 નવા કેસ નોધાયા, 41 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 91 નવા કેસ નોંધાયા છે. જ્યારે 41 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 91 નવા કેસ નોધાયા, 41 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં દિવસે ને દિવસે કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 91 નવા કેસ નોંધાયા છે. જ્યારે 41 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 25 નવા કેસ નોંધાયા છે. 3 શહેર અને 22 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે સુરત શહેર અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાથી 1-1 દર્દીનું મોત થયું છે. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.71 ટકા રહ્યો છે.

બીજી તરફ આજે રાજ્યમાં ઓમિક્રોનના 9 કેસ નોંધાયા છે. જેમા 5 કેસ તો માત્ર અમદાવાદના છે. અમદાવાદમાં બાળકી સહિત 5 લોકોનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 23 કેસ નોંધાયા છે. જેમાથી હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે જ્યારે 4 લોકો સાજા થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનના લીધે એકપણ મોત નોંધાયું નથી.

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 28 હજાર 794ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 106 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 18 હજાર 51 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 639 એક્ટિવ કેસ છે, જેમાંથી 9 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 628 દર્દીની હાલત સ્થિર છે.

Next Story