"મહા વાવેતર" : સાબરકાંઠા-ઇડરના રાજ ચંદ્રવિહાર ખાતે પર્યાવરણ પ્રેમીઓએ 12 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું...

"મહા વાવેતર" અરવલ્લીની ગીરીમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તાર અને તેમાં પણ શ્રીમદ રાજચંન્દ્ર જેવા આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરેલ ગુરૂની જાગતી ધરતી પર કરવામાં આવ્યું

New Update

"એક પેડ માઁ કે નામ" સંકલ્પને ચરિતાર્થ કરવાનો ઉદ્દેશ્ય

"મહા વાવેતર" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ

ઇડરના રાજ ચંદ્રવિહાર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

પર્યાવરણ પ્રેમીઓએ 12 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું

મંત્રી મુળુ બેરા સહિત મુકેશ પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

સાબરકાંઠા જિલ્લાના ઇડરના રાજ ચંદ્રવિહાર ખાતે કેબિનેટ મંત્રી મુળુ બેરા અને રાજ્યકક્ષા મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં "મહા વાવેતરઅભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા જિલ્લામાં ઈડરના શ્રીમદ રાજચંન્દ્ર વિહાર નજીકના જંગલ વિસ્તારમાં કેબિનેટ મંત્રીવન અને પર્યાવરણ મુળુ બેરા અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં "મહાવાવેતરઅભિયાન યોજાયું હતું. મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કેવડાપ્રધાનના "એક પેડ માઁ કે નામ" સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્યથી "મહા વાવેતર" અરવલ્લીની ગીરીમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તાર અને તેમાં પણ શ્રીમદ રાજચંન્દ્ર જેવા આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરેલ ગુરૂની જાગતી ધરતી પર કરવામાં આવ્યું છે.

મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કેગાંધીજીનાં આધ્યાત્મિક ગુરૂ એવા શ્રીમદ્ રાજચંદ્રજીની પાવન રજથી વિભૂષિત એવી ઇડરની તપોભૂમિ ખાતે વડાપ્રધાનના "એક પેડ મા કે નામ" અભિયાનને સાર્થક કરતાં "ગ્રીન અરવલ્લી" ગીરીમાળા વૃક્ષારોપણ કાર્યક્રમએ સરાહનીય પ્રયાસ છે. ગુજરાત રાજ્યમાં "એક પેડ માઁ કે નામ" અભિયાન હેઠળ 8 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતને હરિયાળુ બનાવવાના સંકલ્પમાં ગામે ગામ લોકો જોડાઇ રહ્યા છે.

આ અભિયાનમાં સાંસદ શોભના બારૈયારાજ્યસભા સાંસદ રમીલા બારાધારાસભ્ય રમણલાલ વોરાજિલ્લા કલેકટર રતન કંવર ગઢવીચારણજિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાનાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કરનાયબ વન સંરક્ષક એસ.ડી.પટેલ સહિત મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.