પૂર્વ ડે.સીએમ નિતિન પટેલે ભાજપના જ નેતાઓને કર્યા ઇગ્નોર; ભાજપ સાંસદના ગંભીર આરોપ

ભાજપ સાંસદ કાછડીયાનો નિતિન પટેલ પર ગભીર આરોપ, સૌની યોજના નીતિનભાઈના કારણે પાછળ ઠેલવાઈ: કાછડીયા.

New Update

રાજ્યમાં નવી સરકાર રચાયા બાદ ભાજપમાં બે સિનિયર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપના નેતાઓને વિભીષણ અને મંથરા સાથે સરખાવી વિરોધના સૂર છોડી રહ્યા છે. તો ભાજપના સાંસદ નારણભાઇ કાછડીયાએ નીતિનભાઈ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના મત વિસ્તારમાં મહેસાણામાં હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યાં રામાયણ હોઈ ત્યાં વિભીષણ અને મંથરા પણ હોઈ નીતિન પટેલના આ વક્તવ્ય સામે ભાજપના જ સાંસદ નારણ કાછડીયાએ પણ ફેસબુક પર નીતિન પટેલને નકામા નેતા ગણાવ્યા છે.

તેમણે ફેસબુક પર એવી કોમેન્ટ લખી છે કે, ગાંધીનગર જઇએ તો નીતિનભાઇ સામે પણ નથી જોતા, કામની વાત તો બાજુએ રહી... નો રિપિટ થિયરીને કારણે રૂપાણી સરકારના બધા મંત્રીઓને ઘેર બેસવાનો વારો આવ્યો છે જેના કારણે સિનિયર મંત્રીઓ નારાજ છે. તેમાંય પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં જાહેર મંચ પરથી એવું કહ્યું હતું કે, ભાજપ પક્ષમાં કેટલાક લોકો એવા છે કે, હું મહેસાણા આવું છું તોય તેમને ગમતું નથી.

તો નારણ કાછડિયાએ આરોપ લગાવતા કહ્યું કે સૌની યોજના મોડી થવા પાછળ પણ નીતિનભાઈ જવાબદાર છે. આમ બને સિનયર નેઆતો વચ્ચે શાબ્દિક યુદ્ધ થી ભાજપમાં સોપો પડી ગયો છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.