Connect Gujarat
ગુજરાત

ઝવેરચંદ મેઘાણીના મ્યુઝિયમ માટેનું ભંડોળ હવે વડનગર મ્યુઝિયમ માટે ખર્ચાશે; 3 કરોડની રકમ વડનગરમાં જમીન માટે ખર્ચાશે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના માનમાં તેમના વતન ચોટીલા ખાતે મ્યુઝિયમ સ્થાપવા 2021-22 ના બજેટમાં કરેલી નાણાકીય જોગવાઇની રકમ રાજ્ય સરકાર વડનગરમાં સ્થપાતા મ્યુઝિયમ માટે ફાળવવાની મંજૂરી આપી

ઝવેરચંદ મેઘાણીના મ્યુઝિયમ માટેનું ભંડોળ હવે વડનગર મ્યુઝિયમ માટે ખર્ચાશે; 3 કરોડની રકમ વડનગરમાં જમીન માટે ખર્ચાશે
X

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના માનમાં તેમના વતન ચોટીલા ખાતે મ્યુઝિયમ સ્થાપવા 2021-22 ના બજેટમાં કરેલી નાણાકીય જોગવાઇ ની રકમ રાજ્ય સરકાર વડનગરમાં સ્થપાતા મ્યુઝિયમ માટે ફાળવવાની મંજૂરી આપી દીધી છે. હાલ રાજ્ય સરકાર ફોકસ વડનગરમાં વૈશ્વિક કક્ષાનું આર્કિયોલોજિકલ મ્યુઝિયમ સ્થાપવા પર છે, એ માટેની જમીન સંપાદન પાછળ ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ માટે ફાળવેલી રકમ ખર્ચાશે. વડનગરમાં વર્ચ્યુઅલ એક્સપિરિયન્શિયલ ગેલેરી બનાવવા માટે 2019-20ના બજેટમાં 1 કરોડની અને જમીન સંપાદન માટે 4 કરોડની જોગવાઇ કરી હતી. વડનગરમાં ઉત્ખનન સ્થળની આસપાસ આવેલી 6 હજાર ચો.મી. જમીન આ મ્યુઝિયમના પર્યટકોની સલામતી-સુરક્ષા માટે સંપાદિત કરવાની દરખાસ્ત પુરાતત્વ નિયામક કરી હતી. ખાનગી માલિકીની જમીન સંપાદન કરવા માટે વળતર પેટે ખાસ જમીન સંપાદન અધિકારી અને પ્રાંત અધિકારી ખેરાલુ ના નામે 3 કરોડ રૂપિયા જમા કરાવવાના થાય છે.

ચોટીલા ખાતે ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ માટે બજેટમાં 5 કરોડની જોગવાઈ કર્યા બાદ કોરોના અને વહીવટી કારણોસર જમીન ફાળવણી ન થઇ હોવાથી આ 5 કરોડની રકમ પૈકી 3 કરોડ રૂપિયા વડનગર મ્યુઝિયમ જમીન સંપાદન વળતર પેટે ફાળવવા પુરાતત્ત્વ નિયામકની દરખાસ્તને સરકારે મંજૂરી આપી છે. નાણાં વિભાગની મંજૂરી લીધા બાદ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ મેઘાણી મ્યુઝિયમ માટે જોગવાઇ કરેલ રકમ વડનગર મ્યુઝિયમ માટે ચૂકવવા મંજૂરી આપી છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન, પત્રકારત્વ તથા સાહિત્ય ક્ષેત્રમાં યોગદાન વિષય આધારિત સંગ્રહાલયની રચના કરવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરાઈ હતી અને આ માટે જમીન ફાળવણી તેમજ મ્યુઝિયમ સહિતની સુવિધા ઊભી કરવા માટે ગત વર્ષના બજેટમાં 5 કરોડની જોગવાઈ પણ કરી હતી. જોકે સમગ્ર વર્ષ દરમિયાન આ મ્યુઝિયમ માટે સરકાર તરફથી કોઇ પ્રક્રિયા કરાઇ નથી કે જમીન પણ ફાળવાઇ નથી.

Next Story