ગાંધીનગર:ચૂંટણીમાં ભાજપ કરશે હાઈટેક પ્રચાર, કમલમ ખાતેથી LED રથનું કરાવાયું પ્રસ્થાન

ભાજપ સરકાર સૂત્ર સાથે એલ.ઇ. ડી.રથ બનાવવામાં આવ્યા છે આ યાત્રા ૨ પ્રકારની રાખવામાં આવી છે રાજ્યના ૧૪૪ વિધાનસભા મતવિસ્તારમાં આ રથ ફરશે

New Update
ગાંધીનગર:ચૂંટણીમાં ભાજપ કરશે હાઈટેક પ્રચાર, કમલમ ખાતેથી LED રથનું કરાવાયું પ્રસ્થાન

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં મિશન 182 ના ટાર્ગેટને સાર્થક કરવા ભાજપના કેન્દ્રીય નેતાઓથી માંડી એક-એક કાર્યકર્તા મહેનતમાં જોતરાયા છે. મતદારો સુધી પહોંચવા ભાજપ દ્વારા એક પછી એક આયોજન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજ્યમાં ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. જેનો 12 ઓક્ટોબરથી એટલે આવતીકાલથી થશે.આ યાત્રા માટે ભાજપ સરકારના સ્લોગન સાથે કાર,બસ અને ટેમ્પો તૈયાર કરવામાં આવ્યા છે.

Advertisment W3.CSS

જેમાં આજે પ્રદેશ કાર્યાલય કમલમ' ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં હસ્તે ભારતીય જનતા પાર્ટી પ્રચાર વાહન 'LED રથ'નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ભરોસાની ભાજપ સરકાર સૂત્ર સાથે એલ.ઇ. ડી.રથ બનાવવામાં આવ્યા છે આ યાત્રા ૨ પ્રકારની રાખવામાં આવી છે રાજ્યના ૧૪૪ વિધાનસભા મતવિસ્તારમાં આ રથ ફરશે અને આગામી ચૂંટણી સુધી તમામ ગ્રામ્ય વિસ્તારો, મહોલ્લામાં સરકારે કરેલા કામો LEDમાં બતાવવામાં આવશે તો સરકારે વર્ષ ૨૦૧૭માં જાહેર કરેલ મેનીફેસ્ટોના કરેલ કામો પણ લોકોને બતાવવામાં આવશે

Read the Next Article

ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચ્યો

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  

New Update
રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના 235 નવા કેસ નોંધાયા છે.  આ સાથે જ રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચી ગયો છે.  

એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરના  235 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ છે. જેમાં  33 હોસ્પિટલમાં દાખલ છે.  જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 106 દર્દી સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  

કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય

છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોનાના 769 નવા કેસ (Covid 19 Cases Updates) નોંધાયા છે. આ સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા છ હજારને વટાવી ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે આંકડા જાહેર કર્યા હતા. મંત્રાલય અનુસાર, કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. ત્યારબાદ ગુજરાત, બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તૈયારીઓનો હિસ્સો લેવા માટે કેન્દ્ર 'મોક ડ્રીલ' કરી રહ્યું છે. તમામ રાજ્યોને ઓક્સિજન, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.