ગાંધીનગર : સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ કાર્યક્રમમાં 2 હજારથી વધુ ફરિયાદોનું નિવારણ કરાયું
BY Connect Gujarat Desk25 Aug 2022 2:44 PM GMT
X
Connect Gujarat Desk25 Aug 2022 2:47 PM GMT
ગુજરાત સરકારના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણમાં ઓગસ્ટ મહિનામાં બે હજારથી વધુ ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યુ છે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં વધુ 7 પ્રશ્નોનું ત્વરિત નિવારણ કરાયુ હતું. ઉલ્લેખનિય છે કે ઓગસ્ટ મહિનામાં ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં કુલ 2835 રજૂઆતોમાંથી 2073નું નિરાકરણ લાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સથી જોડાયેલા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે, પ્રજાજનોના પ્રશ્નો અને ફરિયાદોનો ઝડપથી સ્થાનિક સ્તરે જ ઉકેલ આવે તે કાર્યક્રમની સાર્થકતા છે.
Next Story