Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : રાજ્યના મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

કોરોનાની સ્થિતિ થાળે પડતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું

X

કોરોનાની સ્થિતિ થાળે પડતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું. આ પ્રસંગે દેશ-દુનિયા અને રાજ્યવાસીઓના સારા સ્વાસ્થ્ય અને કોરોના મહામારીમાંથી લોકોને બચાવવા વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ થાળે પડતાં સરકાર દ્વારા લોકોને છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે રવિવારના રોજ વહેલી સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા આવી પહોચ્યા હતા. તો સાથે જ તેમના ધર્મપત્ની અંજલી રૂપાણીએ પણ મહાદેવના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના ધર્મપત્નીએ મહાદેવને શિશ ઝૂકાવી જળાભિષેક સાથે તત્કાલ મહાપૂજા કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દેશ અને દુનિયાને કોરોના મહામારીના સંકટમાંથી બહાર કાઢવા પ્રાર્થના કરી હતી. તો સાથે જ રાજ્યવાસીઓના સારા સ્વાસ્થ્ય માટે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરાય હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે ભાજપના અગ્રણી નિતીન ભારદ્વાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story