ગુજરાતમાં આકાશી આફત : 18 સ્ટેટ હાઈવે સહિત 201 રસ્તા બંધ, STના 55 રૂટ પણ રદ્દ

New Update

ગુજરાતમાં પૂરના કારણે પરિસ્થિતિ વધુને વધુ વિકટ થઈ રહી છે. રાજ્યમાં વરસાદનાં કારણે કેટલાય ગામો સંપર્કવિહોણા થઈ ગયા છે જ્યારે રાજ્યમાં ઘણા બધા રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ઘણા બધા રસ્તાઓ બંધ કરી દેવાનો વારો આવ્યો છે. રાજ્યમાં વરસાદનાં કારણે કુલ 201 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે બંધ કરાયા છે જ્યારે પંચાયત હસ્તકના 162 રસ્તાઓ પણ બંધ કરવા પડ્યા છે. વરસાદનાં કારણે ST બસને પણ અસર પહોંચી છે. ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિનાં કારણે STની 221 ટ્રીપ અને 55 રૂટ બંધ કરવામાં આવ્યા છે. GSRTCએ 33 જિલ્લાના જુદા જુદા રૂટ બંધ કર્યા છે જેમા ભાવનગરના 5, બોટાદના 2, જૂનાગઢના 11, જામનગરના 30, દ્વારકાના 7 સહિત કુલ 55 રૂટ હાલ બંધ છે. 

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories