Connect Gujarat
ગુજરાત

જામનગર : બ્રહ્મદેવ સમાજ દ્વારા લોકો માટે આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ કાઢવાનો કાર્યક્રમ યોજાયો...

જામનગર ખાતે બ્રહ્મદેવ સમાજ-ગુજરાત દ્વારા શહેરના બ્રાહ્મણ જ્ઞાતિના લોકોને આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર : બ્રહ્મદેવ સમાજ દ્વારા લોકો માટે આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ કાઢવાનો કાર્યક્રમ યોજાયો...
X

જામનગર ખાતે બ્રહ્મદેવ સમાજ-ગુજરાત દ્વારા શહેરના બ્રાહ્મણ જ્ઞાતિના લોકોને આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરના દાયશંકર બ્રહમપુરી ખાતે બ્રહ્મદેવ સમાજ-ગુજરાત દ્વારા જામનગર જિલ્લા તથા શહેર અને શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત-જામનગરના સહયોગથી આયુષ્યમાન કાર્ડ અને ઇ-શ્રમ કાર્ડ કઢાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન બ્રહ્મ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે બાર એસોસિએશન પ્રમુખ અશોક જોશી, રાજન જાની, પરેશ જાની, તપોવન ફાઉન્ડેશન ટ્રસ્ટી, અતુલ મહેતા, બ્રહમપુરી પ્રમુખ દયાશંકર, આર.એસ.એસ. અગ્રણી વ્રજલાલ પાઠક, બ્રહ્મ સમાજ અગ્રણી શશિ પુંજાણી, મનહર ત્રિવેદી અને નગરસેવક ડીમ્પલ રાવલ સહિયતના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story