Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : મનપાની તમામ શાખામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા આકસ્મિક ચેકિંગ, 116 ગુટલીબાજ કર્મીઓ ગેર’હાજર..!

X

મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા આકસ્મિક ચેકિંગ

વિવિધ શાખાઓમાં જઈ જાત મુલાકાત લઈ કરી તપાસ

ગેરહાજર 116 કર્મચારીઓ વિરુદ્ધ કરાશે યોગ્ય કાર્યવાહી

જુનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. મનપાની દરેક શાખામાં કેટલા કર્મચારીઓ હાજર અને કેટલા ગેરહાજર તે મુદ્દે ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતે જઈને તપાસ કરી હતી. આજની આ આકસ્મિક તપાસમાં 116 કર્મચારીઓ ગેરહાજર હોવાનું બહાર આવ્યું હતું. નિર્ધારિત સમયથી 1 કલાક બાદ પણ 116 કર્મચારીઓ હાજર જણાયા ન હતા. આ મામલે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે, ખોટી રીતે ગેરહાજર રહેલા આ તમામ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત વર્ષથી મનપા કચેરીમાં હાજરી પુરવાનું પંચિંગ મશીન પણ બંધ હાલતમાં જોવા મળ્યું હતું. જેને પણ વહેલી તકે શરૂ કરવાના તેઓએ સંકેત આપ્યા હતા. જોકે, મનપા કચેરીમાં હાજરીનું પંચિંગ મશીન બંધ હોવાથી ગુટલીબાજ કર્મીઓ મજા કરતાં હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

Next Story