જૂનાગઢ: વંથલીનો સાબલી ડેમ રૂલ લેવલ નજીક, નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના

જૂનાગઢના વંથલી પંથકમાં આવેલ સાબલી સિંચાઈ યોજના જળાશયમાં પાણીની વિપુલમાત્રામાં આવકના પગલે નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે 

New Update

જૂનાગઢના વંથલી પંથકમાં આવેલ સાબલી સિંચાઈ યોજના જળાશયમાં પાણીની વિપુલમાત્રામાં આવકના પગલે નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે 

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે આવેલ સાબલી સિંચાઇ યોજના જળાશયમાં પાણીની આવક થતાં, હાલ ડેમનું લેવલ ૪૨.૪૦ મીટર છે.ડેમનું રૂલ લેવલ ૪૨.૫૦ મીટર જાળવવા માટે ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવશે. આથી સરકારના પરિપત્ર મુજબ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.સાથે જ ગામ લોકોને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.