જૂનાગઢ: 2 કારના કાચ તૂટ્યા,ચોર કારમાંથી રૂપિયા 4.25 લાખની ચોરી કરીને ફરાર

જૂનાગઢમાં ભરચક વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ પાર્ક કરેલી બે કારના કાચ તોડીને રૂપિયા 4 લાખ 25 હજારની ચોરીને અંજામ આપ્યો હતો.સર્જાયેલી ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી.

New Update
  • જૂનાગઢમાં બે કારના કાચ તોડીને રોકડની ચોરી 

  • તસ્કરોએ કારમાંથી રૂ.4.25 લાખની ચોરીને આપ્યો અંજામ 

  • બે જુદાજુદા સ્થળો અને બે કારમાંથી થઇ ચોરી 

  • વાહનોથી ધમધમતા રસ્તા પર પાર્ક કારમાં થઈ ચોરી 

  • LCB પોલીસ સહિતનો કાફલો તપાસમાં જોડાયો  

જૂનાગઢમાં ભરચક વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ પાર્ક કરેલી બે કારના કાચ તોડીને રૂપિયા લાખ 25 હજારની ચોરીને અંજામ આપ્યો હતો.સર્જાયેલી ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી.

જૂનાગઢમાં વાહનોની અવરજવરથી ધમધમતા જાંજરડા રોડ પર એક કાર પાર્ક કરવામાં આવી હતી,જોકે આ કાર અજાણ્યા તસ્કરોની  નજરે  ચઢી  ગઈ હતી,અને તસ્કરોએ કારના ડ્રાઈવર સાઈડનો કાચ તોડીને સીટ પર મુકેલા રૂપિયા લાખની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા.જ્યારે અન્ય બીજો એક બનાવ વંથલીના વાડલા ફાટક પાસે બન્યો હતો,જે ઘટનામાં પણ પાર્ક કરેલી કારનો ડ્રાઇવર સાઈડનો કાચ તોડીને ચોર રૂપિયા લાખ 25 હજાર રોકડની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા.આમ અડધો કલાકના સમયમાં જ બે સ્થળ પરથી જુદી જુદી બે કારના કાચ તોડીને રૂપિયા લાખ 25 હજારની ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતીસર્જાયેલી ઘટનાને પગલે જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સહિતનો પોલીસ કાફલો દોડી આવીને તપાસમાં જોતરાયો હતો.

 

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.