જૂનાગઢ: 2 કારના કાચ તૂટ્યા,ચોર કારમાંથી રૂપિયા 4.25 લાખની ચોરી કરીને ફરાર

જૂનાગઢમાં ભરચક વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ પાર્ક કરેલી બે કારના કાચ તોડીને રૂપિયા 4 લાખ 25 હજારની ચોરીને અંજામ આપ્યો હતો.સર્જાયેલી ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી.

New Update
  • જૂનાગઢમાં બે કારના કાચ તોડીને રોકડનીચોરી

  • તસ્કરોએકારમાંથી રૂ.4.25 લાખનીચોરીનેઆપ્યો અંજામ

  • બે જુદાજુદા સ્થળોઅને બે કારમાંથી થઇ ચોરી

  • વાહનોથી ધમધમતા રસ્તા પર પાર્ક કારમાં થઈ ચોરી

  • LCB પોલીસ સહિતનો કાફલો તપાસમાં જોડાયો

જૂનાગઢમાં ભરચક વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ પાર્ક કરેલી બે કારના કાચ તોડીને રૂપિયાલાખ25 હજારની ચોરીનેઅંજામ આપ્યો હતો.સર્જાયેલી ઘટનાનેપગલે ભારે ચકચાર મચી ગઈ હતી.

જૂનાગઢમાં વાહનોની અવરજવરથી ધમધમતા જાંજરડા રોડ પર એક કાર પાર્ક કરવામાં આવી હતી,જોકે આ કાર અજાણ્યાતસ્કરોનીનજરેચઢીગઈ હતી,અને તસ્કરોએ કારના ડ્રાઈવર સાઈડનો કાચ તોડીને સીટ પર મુકેલા રૂપિયાલાખની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા.જ્યારે અન્ય બીજો એક બનાવ વંથલીના વાડલા ફાટક પાસે બન્યો હતો,જે ઘટનામાં પણ પાર્ક કરેલી કારનો ડ્રાઇવર સાઈડનો કાચ તોડીને ચોરરૂપિયાલાખ25 હજાર રોકડની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા.આમ અડધો કલાકના સમયમાં જ બે સ્થળ પરથી જુદી જુદી બે કારના કાચ તોડીને રૂપિયાલાખ25 હજારનીચોરીનીઘટનાઓ પ્રકાશમાં આવી હતીસર્જાયેલીઘટનાનેપગલે જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક તેમજ લોકલ ક્રાઇમબ્રાન્ચની સહિતનો પોલીસ કાફલો દોડી આવીને તપાસમાં જોતરાયો હતો.

Read the Next Article

વલસાડ : ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ

ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

New Update
  • પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ

  • ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી

  • ડેમ બનવાથી આદિવાસી વિસ્તારો થશે ખાલી 

  • રાજ્યભરમાંથી આદિવાસી સમાજના યુવાનો જોડાયા

  • MLA અનંત પટેલઅમિત ચાવડા પણ રેલીમાં જોડાયા

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી.આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલકોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પારતાપી અને નર્મદાએ ત્રણેય નદીના નામ છે. એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ. પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે. જેમાં એક ઝરી ડેમ છે જે મહારાષ્ટ્ર-ગુજરાતની બોર્ડર પાસે નાસિકમાં બનશે. તેમાં 7 ગામના લોકોને અસર થશે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનવાનો છે. જેમાં 12 ગામના લોકોને અસર થશે. ધરમપુર તાલુકાના પૈખેડ ડેમમાં 13 ગામ જશે.જ્યારે ધરમપુર તાલુકાના ચાસમાંડવા ડેમમાં 14 ગામ જશે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ચિકાર ડેમ બનવાનો છેજેમાં 12 ગામ જશે. વઘઇ તાલુકાના ડાબદર ડેમમાં 18 ગામ જશે અને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળવણ ડેમમાં 23 ગામ જશે. એટલે આ પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ થકી કુલ 118થી પણ વધારે ગામ અને તેની આસપાસના ગામડાના અંદાજે પાંચ લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને બીજે વિસ્થાપિત થવું પડે તેમ છે. જ્યાં આ ડેમ બનવાના છે અને ગામો ખાલી કરવાના છે તે મોટાભાગે આદિવાસી વિસ્તાર છે.

DPR મુજબ સરકાર આ ડેમોનું પાણી મુંબઈ,સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઈ જવા માંગે છે. ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ.

2022માં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કેપાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે. ત્યારથી આ પ્રોજેક્ટને લઈને શાંતિનો માહોલ હતો. પરંતુ થોડા દિવસ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા કે લોકસભામાં આ પ્રોજેકટનોDPR રજૂ થયો છેએટલે ફરી આ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે.