મહીસાગર : સંતરામપુરના સુફી આશ્રમ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
આરોગ્યની તપાસ સાથે દવાનું વિતરણ કરાયું.

હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના સમયમાં ઉર્ષ મુબારકમાં લોકોની સેવા કરી તેમને બીમારીઓથી સીફા મળે તેવા ઉમદા હેતુંથી સરકાર કુતબુલ ઓલિયાના 26મા ઉર્ષ મુબારક નિમિત્તે ખાન કા હૈ મેફીલ એ હસની મન્સુરી યા આશ્રમ સંતરામપુર ખાતે હુઝુર સાહીબે સજજાદા સૈયદ વસિમુરર રહેમાન શાહ ઉર્ફે જુગનું મિયા તાહજુલ અશફિયાના આદેશ મુજબ મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મફત સર્વરોગ નિદાન કેમ્પના આયોજનમાં સંતરામપુરના તબીબ ડો. મોહંમદ રફી, ડો. આરીફ એ. દાઉદ, ડો. મોહંમદ ફેજાન આખલિ, ડો. માહીર એમ. દાઉદ સાથે દાહોદના ડી.એચ.એમ.એસ. ડો. નરેન્દ્ર બસેર, ડો. પ્રભાત યાદવ, ડો. જીનલ ટેલર સહિતના તબીબોની ટીમ દ્વારા 100થી વધુ દર્દીઓના આરોગ્યની તપાસ કરી જરૂરી દવા આપવામાં આવી હતી.
ડો. નરેન્દ્ર બસેરે જણાવ્યું હતું કે, આ ખૂબ જ ઉમદા કાર્ય છે. કોરોના કાળમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પુરુષને ખાવા-પીવાની જગ્યાએ સામાન્ય વ્યક્તિની મદદ કરી એમના દુઃખમાં સહભાગી થવા માટે મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે, તે ખૂબ જ સરાહનીય કામગીરી છે. આ સર્વરોગ નિદાન કેમ્પમાં કોવીડ-19 નિયમ મુજબ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. આરીફ દાઉદે કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ તબીબોના સેવાકાર્ય બદલ ડો. મોહંમદ રફી કોઠારીએ આભાર વિધિ કરી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT