Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર તા. 21-22 સપ્ટેમ્બરના રોજ મળશે, સરકારને ઘેરવા વિપક્ષ પ્રયાસ કરે તેવી સંભાવના..!

ભાજપ સરકારની 14મી વિધાનસભાનું અંતિમ ચોમાસુ સત્ર 2 દિવસ માટે તારીખ 21 અને 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે,

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર તા. 21-22 સપ્ટેમ્બરના રોજ મળશે, સરકારને ઘેરવા વિપક્ષ પ્રયાસ કરે તેવી સંભાવના..!
X

ભાજપ સરકારની 14મી વિધાનસભાનું અંતિમ ચોમાસુ સત્ર 2 દિવસ માટે તારીખ 21 અને 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે,ત્યારે ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષ અનેક પ્રશ્નોને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરે તેવી સંભાવના છે.

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અંગે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આગામી 21 અને 22ના રોજ મળનારી ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષ અનેક પ્રશ્નોને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરે તેવી સંભાવના છે. જેના કારણે આ 2દિવસનું ચોમાસુ સત્ર તોફાની બની રહેવાનું સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. 2 દિવસ દરમિયાન વિપક્ષ દ્વારા સરકારની સામે પ્રજાના પ્રશ્નોને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે. જેમાં મોંઘવારી, બેરોજગારી, પોલીસ ગ્રેડ-પે, લઠ્ઠાકાંડ, કાયદો અને વ્યવસ્થા, સરકાર સામે લડી રહેલા કર્મચારીઓને મુદ્દે વિધાનસભાના ફ્લોર પર સરકારને ઘેરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

વિધાનસભાના અંતિમ દિવસે 6થી વધુ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. બુધવારે મળેલી કેબિનેટની બેઠક બાદ રાજ્યપાલ સમક્ષ ચોમાસુ સત્ર બોલાવવા માટે થઈને આહવાન મોકલી આપવામાં આવ્યું છે. જેને લઇને આજે મોડી સાંજ સુધીમાં ગેઝેટ પ્રસિદ્ધ થઇ શકે છે. ગેઝેટ પ્રસિદ્ધ થવાની સાથે જ વિધિવત ચોમાસા સત્રની જાહેરાત થઈ જશે આ સત્ર દરમિયાન ગુજસીટોક ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ એડમેન્ટ એક્ટ લેવામાં આવનાર છે. ગુજરાત જીએસટી સુધારા વિધેય 2022, ગુજરાત મ્યુનિસિપાલિટી સુધારા વિધેયક-2022, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક 2022 વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયકનો ઉદ્દેશ રાજ્યમાં અન્ય ઠેકાણે ચાલતી લો કોલેજને નેશનલ યુનિવર્સિટી સાથે સાંકળવાનો પ્રયાસ કરવામાં આવનાર છે.

Next Story