Connect Gujarat
ગુજરાત

નરેશ પટેલ દિલ્હીમાં પ્રશાંત કિશોરને મળ્યા,15 મે સુધીમાં રાજકારણમાં જોડાવા અંગેનો નિર્ણય જાહેર કરશે..

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ આજે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેઓપ્રશાંત કિશોરને મળ્યા હોય તેવી ચર્ચા વર્તાઈ રહી હતી

નરેશ પટેલ દિલ્હીમાં પ્રશાંત કિશોરને મળ્યા,15 મે સુધીમાં રાજકારણમાં જોડાવા અંગેનો નિર્ણય જાહેર કરશે..
X

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યાં જ રાજકારણમાં વિવિધ ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે. તેમાંય ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી પૂર્વે દિલ્હીમાં કોંગ્રેસનું રાજકારણ ગરમાયુ છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ આજે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેઓપ્રશાંત કિશોરને મળ્યા હોય તેવી ચર્ચા વર્તાઈ રહી હતી. હાલ તેઓ દિલ્હીથી રાજકોટ આવ્યા હતા. જ્યાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે,પ્રશાંત કિશોરને મળ્યો છું, હાર્દિક પટેલ મારી પાસે આવ્યા હતા અને હું 15 મે સુધીમાં મારો નિર્ણય જાહેર કરીશ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું દિલ્હીમાં એક સામાજિક કામ માટે ગયો હતો. આ ઉપરાંત એક લગ્નમાં પણ ગયો હતો. જ્યાં અનેક નેતાઓને મળવાનું થયું હતી. હું કોઈ ઓફિસમાં નથી ગયો. કોને મળવાનું થયું એના નામ નહિ આપું ટૂંક સમયમાં જાહેરાત કરીશ. મારામાં નિર્ણય શક્તિનો અભાવ નથી. એટલે રાજકારણમાં આવવું કે નહીં તે હું જ નક્કી કરીશ. અને હવે તો સર્વે પણ પૂરો થઈ ગયો છે. હું મહાસભા બાદ મારો નિર્ણય જાહેર કરીશ. અને બીજી તારીખે કોંગ્રેસમાં જોડાઉ. તે નક્કી નથી. આ ઉપરાંત હાર્દિક પટેલ પણ મને મળ્યા આવ્યો હતો. તેના બે-ચાર પ્રશ્નો છે. તેને હલ કરવાનું અમે વિચારી રહ્યા છીએ. દરેક લોકો મને મળે છે.દરેક મારો સંપર્ક કરે છે. મારે ક્યાં જોડાવું એ મેં મહિનાના અંત સુધીમાં જાહેર કરીશ.

Next Story