નવસારી: અમલસાડ-બીલીમોરાને જોડતો અંબિકા નદીનો બ્રિજ પુન:શરૂ કરાયો,વાહનચાલકોને રાહત
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા બીલીમોરા શહેરને અમલસાડને જોડવા માટે પુલનું નિર્માણ 34 વર્ષ પહેલાં નિર્માણ કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk27 Sep 2023 7:13 AM GMT
X
Connect Gujarat Desk27 Sep 2023 7:13 AM GMT
ગુજરાતમાં થતી બ્રિજ ધરાશાયી દુર્ઘટના ને લઈએ નવસારી માર્ગ મકાન વિભાગ સતર્કતા વાપરીને બે મહિના પેહલા બ્રિજનો સ્ટકચર રિપોર્ટ નબળો આવતા બ્રિજ બંધ કરીને તાબડતોબ રીપેરીંગ કરાવીને ફરી શરૂ કરવામાં આવ્યો છે
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા બીલીમોરા શહેરને અમલસાડને જોડવા માટે પુલનું નિર્માણ 34 વર્ષ પહેલાં નિર્માણ કરવામાં આવ્યું હતું. પુલની ગુણવત્તા ચકાસવા માટે સ્ટ્રકચરલ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને સ્ટ્રકચરલ રિપોર્ટમાં પીલર નબળા હોવાની માહિતી સામે આવતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પુલનુ રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં સાત જેટલા પીલરોને નવું પ્લાસ્ટરિંગ કરી મજબૂત કરવામાં આવ્યા છે. આ ભૂલ શરૂ થતા અમલસાડ અને બીલીમોરા સહિત 10થી વધુ ગામડાઓના લોકોને રાહત થશે
Next Story