Connect Gujarat
ગુજરાત

નવસારી : ખળસુપા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં દંપતીનું મોત, યુવાન પુત્રએ માતાપિતાની છત્રછાયા ગુમાવી...

X

નવસારીના ખળસુપા ગામે મકાનની દીવાલ થઈ ધરાશાયી

દીવાલ નીચે દબાઈ જતાં દંપતિનું મોત

પુત્ર ઘરની બહાર સૂતો હોવાથી તેનો આબાદ બચાવ

નવસારી જિલ્લાના ખળસુપા ગામમાં આવેલ હારક ફળિયામાં આવેલા કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં એક દંપતીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ઘટના સમયે પુત્ર બહાર સૂતો હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી અનુસાર નવસારી નજીક આવેલા ખળસુપા ગામમાં આવેલ હારક ફળિયામાં સવારે ૩:૩૦ કલાકે અચાનક મકાનની દીવાલ ધરાસાયી અફરાતફરી મચી ગઈ હતી. મકાનની દીવાલ ધરાશાયી થતાં તેમાં રહેતા સુમનભાઈ હળપતિ અને એમના પત્ની જશુબહેન હળપતિનું દિવાલ નીચે દબાઈ જતાં મોત નીપજયું હતું. આ ઘટનાની જાણ ગ્રામલોકોને થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકત્રિત થયા હતા. જો કે સદનસીબે ઘટના સમયે પુત્ર ઘરની બહાર સૂતો હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. પરંતુ માતપિતા બંનેના મોતથી યુવાન પુત્રએ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસને થતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story