નવસારી : ગુનેગારોને સુધરી જવા માટે પોલીસનું છેલ્લું અલ્ટીમેટમ,ગુનેગારી છોડો કા ગુજરાત છોડી દેવાની ચીમકી.

નવસારી જિલ્લાના 132 જેટલા જુદા જુદા ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા,

New Update
  • જુદા જુદા ગુન્હામાં સંડોવાયેલા 132 આરોપીઓને તાકીદ

  • LCBકચેરી ખાતે જિલ્લા પોલીસવડા એ સાનમાં સમજાવ્યા

  • ગુનેગારી છોડો કા ગુજરાત છોડોનું સૂત્ર અપનાવવા હાંકલ

  • સમાજ માટે ખતરો બનેલા આરોપીઓનેસુધરવાની તક અપાઈ

  • મહિલા આરોપીઓ માટે પુનર્વસનની યોજના પણ અમલી બનશે

નવસારી જિલ્લાના 132 જેટલા જુદા જુદા ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા,અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામને ગુનેગારી છોડો અથવા ગુજરાત છોડી દેવા માટે ચેતવણી આપી હતી.

ગુજરાત રાજ્યમાં 100 કલાકમાં અસામાજિક તત્વોને સીધા દોર કરવાનું અભિયાન હવે વેગવાન બની રહ્યું છેનવસારી જિલ્લાના 132 જેટલા અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓનેLCB કચેરી ખાતે ભેગા કરી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા શાનમાં સમજાવવામાં આવ્યા હતા. જેમાં ગુનેગારો જો ન સુધરે તો તેમને કાયદાકીય કાર્યવાહી કરી જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાથે જ પુરુષ આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી અને મહિલા આરોપીઓને રોજગારીની તકો આપવાની વાત કરી હતી.

દારૂ જુગાર મારામારી ખંડણી વ્યાજખોરી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલ 132 જેટલા મહિલા પુરુષ આરોપીઓ કે જેઓ સમાજ માટે ખતરારૂપ છેતેવા તમામને નવસારીLCB કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા સાથે જિલ્લા પોલીસવાળા સુશીલ અગ્રવાલ દ્વારા કા ગુનેગારી છોડો કા ગુજરાત છોડો જેવું સૂત્ર તેમના જીવનમાં અપનાવવા હાંકલ કરી છેરાજ્યના નાગરિકો માટે ભયરૂપ બનેલા આવા ગુનેગારોને સુધારવા માટે પોલીસે એક તક આપી છેઆવા આરોપીઓ જો ન સુધરે તો તેમના માટે કાયદાકીય પગલા લઈ જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Read the Next Article

જુનાગઢ :  ભવનાથ ક્ષેત્રમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણીમાં તરબોળ બન્યા ભક્તો,ગુરુવંદના,મંત્રોચ્ચારની ઉઠી ગુંજ

જૂનાગઢમાં ભવનાથમાં અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા પર્વને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી.વિવિધ આશ્રમમાં ખાસ મંત્રોચ્ચાર, હવન, પૂજન, ગુરુવારણ

New Update

ભવનાથમાં ગુરૂપૂર્ણિમાની કરાઈ ભવ્ય ઉજવણી

ગુરુને પામવાનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમા

પુનિત આશ્રમમાં ભાવિકોએ કર્યું ગુરુ પૂજન

પુનિત આશ્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો રહ્યા ઉપસ્થિત

ભજન કિર્તન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા

જૂનાગઢમાં ભવનાથમાં અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા પર્વને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી.વિવિધ આશ્રમમાં ખાસ મંત્રોચ્ચારહવનપૂજનગુરુવારણગુરુચરણ સ્પર્શદક્ષિણા અર્પણ અને પ્રસાદ વિતરણની ધાર્મિકવિધિઓ યોજાઈ હતી.

જૂનાગઢના ગિરનાર પર્વતના પાયે આવેલ ભવનાથમાં ગુરુપૂર્ણિમાના પર્વની  ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગૌરક્ષ નાથ આશ્રમભારતી આશ્રમપુનિત આશ્રમ,રૂદ્રેશ્વર જાગીરમહાદેવપથ આશ્રમ સહિત વિવિધ આશ્રમોમાં આસ્થા વિશ્વાસ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.શિષ્યોએ ગુરુના ચરણોમાં ફૂલનાળિયેરફળ અને દક્ષિણા અર્પણ કરી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુરુઓએ શિષ્યોને જીવનના સાચા માર્ગનો ઉપદેશ આપ્યો હતો.આ પ્રસંગે રુદ્રાભિષેક,ગુરુવારણયજ્ઞભજનસત્સંગપ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.