કોંગ્રેસના MLA અનંત પટેલ પર થયેલા હીચકારા હુમલાનો નવસારી-તાપી-અમરેલી કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ…

વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલ હુમલાનો મામલો, રાજ્યભરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કરાય તંત્રને રજૂઆત

New Update
કોંગ્રેસના MLA અનંત પટેલ પર થયેલા હીચકારા હુમલાનો નવસારી-તાપી-અમરેલી કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ…

નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાના પ્રકરણમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે નવસારી, તાપી અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તંત્રને આવેદન પત્ર આપી હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

નવસારી જિલ્લાની વાસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. આ મુદ્દાએ હાલ રાજકીય રંગ પકડતા કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હુમલાખોરોને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા સાથે કમલમનો ઘેરાવો તેમજ હાઈ-વે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

તો બીજી તરફ, તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ હુમલાખોરોને વહેલી તકે ઝડપી કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. આ દરમ્યાન સુરત-માંડવી વિધાનસભાના ધારાસભ્ય આનંદ ચૌધરી, તાપી-નિઝર વિધાનસભાના ધારાસભ્ય સુનિલ ગામીત સહિત મોટી સંખ્યામાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અમરેલી જિલ્લામાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હિંસક હુમલાના વિરોધમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વાંસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હીચકારી હુમલાની ઘટનાના હુમલાખોરોને વહેલી તકે ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Read the Next Article

બનાસકાંઠા : ચંડીસર ખાતે ઘી બનાવતી ઉત્પાદક પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, રૂ. 3.50 લાખનો 674 કિલો ઘીનો જથ્થો જપ્ત

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીના બે અલગ અલગ ઘીના

New Update
bnaskantha

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીના બે અલગ અલગ ઘીના નમૂના લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલવામાં આવ્યા છેઅને રૂપિયા ૩.૫૦ લાખની કિંમતનો ૬૭૪ કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.

 ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ અને તે અન્વયેના રૂલ્સ અને રેગ્યુલેશન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કામગીરી કરવામાં આવી છે. બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ.પટેલફૂડ સેફ્ટી ઓફિસર  કે.કે ચૌધરી તથા ઈ.એસ.પટેલ દ્વારા ૧૮ જૂન ૨૦૨૫ના રોજ પ્લોટ નંબર ૨૩૮જી.આઇ.ડી.સીચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઘીના જુદાજુદા બે નમુનાઓ સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ હેઠળ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકેનમૂના લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો ૬૭૪ કિલોગ્રામનો જથ્થો કેજેની કિંમત આશરે ૩,૫૦,૪૮૦ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પેઢી ઘુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલૂમ પડેલ છે. ફૂડ વિભાગ દ્વારા હાલમાં સેમ્પલ મેળવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

Latest Stories