કોંગ્રેસના MLA અનંત પટેલ પર થયેલા હીચકારા હુમલાનો નવસારી-તાપી-અમરેલી કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ…

વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલ હુમલાનો મામલો, રાજ્યભરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કરાય તંત્રને રજૂઆત

New Update
કોંગ્રેસના MLA અનંત પટેલ પર થયેલા હીચકારા હુમલાનો નવસારી-તાપી-અમરેલી કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ…

નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાના પ્રકરણમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે નવસારી, તાપી અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તંત્રને આવેદન પત્ર આપી હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

નવસારી જિલ્લાની વાસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. આ મુદ્દાએ હાલ રાજકીય રંગ પકડતા કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હુમલાખોરોને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા સાથે કમલમનો ઘેરાવો તેમજ હાઈ-વે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

તો બીજી તરફ, તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ હુમલાખોરોને વહેલી તકે ઝડપી કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. આ દરમ્યાન સુરત-માંડવી વિધાનસભાના ધારાસભ્ય આનંદ ચૌધરી, તાપી-નિઝર વિધાનસભાના ધારાસભ્ય સુનિલ ગામીત સહિત મોટી સંખ્યામાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અમરેલી જિલ્લામાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હિંસક હુમલાના વિરોધમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વાંસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હીચકારી હુમલાની ઘટનાના હુમલાખોરોને વહેલી તકે ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories