Connect Gujarat
ગુજરાત

પાટણ : રાધનપુરના બંધવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ફાર્માસીસ્ટનો સન્માન સમારોહ યોજાયો...

શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ખાતે આરોગ્ય વિભાગમાં 38 વર્ષથી ફરજ બજાવતા ફાર્માસીસ્ટનો સન્માન સમારોહ યોજાયો હતો

X

રાધનપુરના વરાણાના શ્રી ખોડિયાર માતાજીના મંદિરે યોજાયો કાર્યક્રમ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા ફાર્માસીસ્ટનું કરાયું સન્માન

અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયું સન્માન

પાટણ જિલ્લાના રાધનપુરના વરાણા ખાતે આવેલ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ખાતે આરોગ્ય વિભાગમાં 38 વર્ષથી ફરજ બજાવતા ફાર્માસીસ્ટનો સન્માન સમારોહ યોજાયો હતો. રાધનપુર તાલુકાના બંધવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે 38 વર્ષથી ફરજ બજાવતા ફાર્માસીસ્ટ શ્રી નવીનચંદ્ર વી ઠક્કર રાફુવાળાનો વયનિવૃતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સંત શ્રી બંધવડ હનુમાનજી મંદિરના મંહત સંજીવની દાસ બાપુ અને સંત શ્રી નિશાંત સાહેબ બાપુ, કાલુપુર અમદાવાદ અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિગજી સોલંકી અને પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, નવલદાન ગઢવી, ઉધોગપતિ પ્રફુલ્લ ભાઈ ઠક્કર, પ્રકાશભાઈ દક્ષિણી, પ્રતાપ ઠક્કર અને અન્ય મહાનુભાવો તેમજ આરોગ્ય વિભાગના સ્ટાફ અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગમાં સારી ફરજ બજાવી સારી કામગીરી કરનાર શ્રી નવીનચંદ્ર વી ઠક્કર રાફુવાળાનો વયનિવુત સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો, પરિવાર, સગા સંબંધી, રાજકીય અગ્રણીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહયા હતા.

Next Story