Connect Gujarat
ગુજરાત

પાટડી : વર્ણીન્દ્રધામ મંદિર ખાતે ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે 3 દિવસના ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણી

પેટા- પાટડી વર્ણીન્દ્રધામ ખાતે ચતુર્થ પાટોત્સવ ઉપક્રમે વર્ણીન્દ્ર મહાપ્રભુનું 500 કિલો પાંખડીથી અભિષેક થયો પેટા- સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું

પાટડી : વર્ણીન્દ્રધામ મંદિર ખાતે ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે 3 દિવસના ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણી
X

પાટડી વિરમગામ રોડ પર આવેલા સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં ધૂળેટીના પાવન પર્વ નિમીત્તે 3 દિવસના ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી અનોખી રીતે શણગારાયું છે. અને પાટડી વર્ણીન્દ્રધામ ખાતે ચતુર્થ પાટોત્સવ ઉપક્રમે વર્ણીન્દ્ર મહાપ્રભુનું 500 કિલો પાંખડીથી અભિષેક થયો હતો. આ ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં નિલકંઠ સરોવર વચ્ચે ચોવીસ દેવમંદિર , સહજાનંદ પ્રદર્શન, એન્જોયપાર્ક, ભગવત પ્રસાદ અને ત્રણ દિવસના પૂજનોત્સવ સહ મંગલ મહોત્સવમાં આવનારા શ્રધ્ધાળુઓને આવકારવા તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાનું મંદિરના વ્યવસ્થાપકએ જણાવ્યું હતુ.



બોક્સ- આ મંદિરની આગવી વિશેષતાઓ

* 20 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ "વર્ણીન્દ્રધામ" મંદિર

* 108 ગૌમુખધારા સ્નાન, મંદિર ફરતે 75 લાખ લિટર પાણી

* નીલકંઠ સરોવરમાં નિત્ય ઠાકોરજીનો નૌકાવિહાર

* રથ, ઘોડા, હાથી વગેરે સાજ સાથે રાજાધિરાજ ઠાકોરજીની નિત્ય નગરયાત્રા

* નીલકંઠધામની પેઠે વર્ણિન્દ્રપ્રભુનો નિત્ય 108 વાનગીઓનો 9 વખત થાળ, નિત્ય મહાઅભિષેક

* સ્વામિનારાયણ મહામંત્રની આજીવન અખંડધૂન

* આજીવન કાયમી વૈદિક વિધિથી શ્રી મહાવિષ્ણુયાગ, શ્રી મારૂતિયાગ અને શ્રી રૂદ્રયાગ

* રામ, શ્યામ અને ઘનશ્યામ ચરિત્ર સાંસ્કૃતિક પ્રદર્શન

Next Story