પાટડી : વર્ણીન્દ્રધામ મંદિર ખાતે ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે 3 દિવસના ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણી

પેટા- પાટડી વર્ણીન્દ્રધામ ખાતે ચતુર્થ પાટોત્સવ ઉપક્રમે વર્ણીન્દ્ર મહાપ્રભુનું 500 કિલો પાંખડીથી અભિષેક થયો પેટા- સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું

New Update

પાટડી વિરમગામ રોડ પર આવેલા સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં ધૂળેટીના પાવન પર્વ નિમીત્તે 3 દિવસના ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી અનોખી રીતે શણગારાયું છે. અને પાટડી વર્ણીન્દ્રધામ ખાતે ચતુર્થ પાટોત્સવ ઉપક્રમે વર્ણીન્દ્ર મહાપ્રભુનું 500 કિલો પાંખડીથી અભિષેક થયો હતો. આ ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં નિલકંઠ સરોવર વચ્ચે ચોવીસ દેવમંદિર , સહજાનંદ પ્રદર્શન, એન્જોયપાર્ક, ભગવત પ્રસાદ અને ત્રણ દિવસના પૂજનોત્સવ સહ મંગલ મહોત્સવમાં આવનારા શ્રધ્ધાળુઓને આવકારવા તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાનું મંદિરના વ્યવસ્થાપકએ જણાવ્યું હતુ.



બોક્સ- આ મંદિરની આગવી વિશેષતાઓ

* 20 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ "વર્ણીન્દ્રધામ" મંદિર

* 108 ગૌમુખધારા સ્નાન, મંદિર ફરતે 75 લાખ લિટર પાણી

* નીલકંઠ સરોવરમાં નિત્ય ઠાકોરજીનો નૌકાવિહાર

* રથ, ઘોડા, હાથી વગેરે સાજ સાથે રાજાધિરાજ ઠાકોરજીની નિત્ય નગરયાત્રા

* નીલકંઠધામની પેઠે વર્ણિન્દ્રપ્રભુનો નિત્ય 108 વાનગીઓનો 9 વખત થાળ, નિત્ય મહાઅભિષેક

* સ્વામિનારાયણ મહામંત્રની આજીવન અખંડધૂન

* આજીવન કાયમી વૈદિક વિધિથી શ્રી મહાવિષ્ણુયાગ, શ્રી મારૂતિયાગ અને શ્રી રૂદ્રયાગ

* રામ, શ્યામ અને ઘનશ્યામ ચરિત્ર સાંસ્કૃતિક પ્રદર્શન

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories