સાબરકાંઠા : પ્રાંતિજમાં મુંબઈથી ઉદેપુર જતી ખાનગી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત,મહિલા સહિત ત્રણના મોત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મુંબઈથી ઉદેપુર જતી ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલી ઘટનામાં એક માઈલ સહિત ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હતા

New Update
  • પ્રાંતિજમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • ખાનગી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

  • મુંબઈથી ઉદેપુર જતી બસને નડ્યો અકસ્માત

  • બસમાં સવાર ત્રણ મુસાફરોના કરૂણ મોત

  • 7 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ ખસેડાયા 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મુંબઈથી ઉદેપુર જતી ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલી ઘટનામાં એક માઈલ સહિત ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હતાજ્યારે 7 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે સોમવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે 48 પર કાટવાડ ઓવરબ્રિજ નજીકથી મુંબઈ બોરીવલીથી ખાનગી બસમાં મુસાફરો રાજસ્થાનના ઉદેપુર જઈ રહ્યા હતા. તે દરમિયાન કાટવાડ ઓવરબ્રિજ નજીક આગળ જઈ રહેલી ટ્રકમાં ખાનગી બસ ધડાકાભેર ઘુસી ગઈ હતી.આ ગમખ્વાર અકસ્માતમાં ખાનગી બસની ડાબી સાઈડ ચિરાઈ ગઈ હતી. 

સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર એક મહિલા સહિત ત્રણ મુસાફરોના કરૂણ મોત નીપજ્યું હતું.અડધો કલાકની જહેમત બાદ બસના પતરા કાપીને મૃતદેહ બહાર કઢાયા હતા.અને ફાયર વિભાગ દ્વારા મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડાયા હતા.જ્યારે 7 ઘાયલ મુસાફરોને સારવારમાં અર્થે ખસેવામાં આવ્યા હતા.ઘટનામાં પ્રાંતિજ પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો દર્જ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: સોમવારે CM ભુપેન્દ્ર પટેલ કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના કરશે દર્શન, અંકલેશ્વરમાં વિકાસના કાર્યોનું લોકર્પણ ખાતમુહૂર્ત કરશે

આગામી સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના જંબુસરની મુલાકાત તથા અંકલેશ્વર ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કરવાના છે.

New Update
Stambheshwar Mahadev
આગામી સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના જંબુસરની મુલાકાત તથા અંકલેશ્વર ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ લાયઝન અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણાએ મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ- સાથે ચર્ચા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું  હતું.
આ કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપી તેમજ તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, પાર્કિગ, લોકાર્પણ/ ખાતમૂર્હત, સભા સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.