Connect Gujarat
ગુજરાત

અજાણ્યા પુરૂષની લાશને પિતાએ પુત્ર સમજી અંતિમ વિધિ કરી નાખી,જાણો પછી શું થયું...?

વડોદરા શહેરમાં પુત્રની લાશ સળગાવી દીધા બાદ જીવિત હોવાનો કિસ્સો સામે આવતાં ચર્ચાનું કેન્દ્ર બન્યો

અજાણ્યા પુરૂષની લાશને પિતાએ પુત્ર સમજી અંતિમ વિધિ કરી નાખી,જાણો પછી શું થયું...?
X

વડોદરા શહેરમાં પુત્રની લાશ સળગાવી દીધા બાદ જીવિત હોવાનો કિસ્સો સામે આવતાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પિતાએ અજાણ્યા પુરૂષની લાશને પુત્ર તરીકે ઓળખી અંતિમવિધિ પતાવ્યા બાદ બીજા દિવસે તેમનો પુત્ર જીવિત ઘરે પહોંચતા પોલીસ દોડતી થવા પામી છે.

ગત તારીખ 16 જૂનના રોજ અજાણ્યા પુરૂષની લાશ મળી આવવાનો બનાવ છાણી પોલીસ મથકે નોંધાયો હતો. જે લાશને સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મુકવામાં આવી હતી. વાઘોડીયા ખાતે રહેતા સનાભાઈ સોલંકીએ લાશની ઓળખ પોતાના પુત્ર સંજય સોલંકી તરીકે કરી હતી. જેથી કાનૂની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ કરી પોલીસે લાશનો કબજો પરિવારને સોંપતા તેઓએ છાણીના કૈલાસ ધામ ખાતે અંતિમ ક્રિયા પતાવી હતી. ઘટનાના બીજા દિવસે છાણી પોલીસને જાણવા મળ્યું હતું કે સંજય સોલંકી જીવિત છે અને તે ઘરે પહોંચ્યો છે જેથી રૂબરૂ તપાસ કરતા સંજય સોલંકી જીવિત હોવાની વિગતો સપાટી પર આવતાં છાણી પી.આઈ કે.એચ અંબારિયાએ સયાજી હોસ્પિટલના કેજ્યુલિટી ઓફિસરને બનાવ સંદર્ભે જાણ કરી હતી. જ્યારે હવે અંતિમ ક્રિયા થયેલી લાશની ઓળખ બાબતે પ્રશ્નાર્થ ચિન્હ સર્જાયો છે.

Next Story