Connect Gujarat
ગુજરાત

ગુજરાતના 8 મહાનગરોમાં નાઈટ કર્ફ્યુને લઈને આ મોટા નિર્ણય લેવાયા

કોરોના વાયરસના સંક્રમણના નવા કેસમાં ઘટાડો થયા બાદ ગુજરાત સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

ગુજરાતના 8 મહાનગરોમાં નાઈટ કર્ફ્યુને લઈને આ મોટા નિર્ણય લેવાયા
X

કોરોના વાયરસના સંક્રમણના નવા કેસમાં ઘટાડો થયા બાદ ગુજરાત સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર હવે 8 મહાનગરોમાં નાઇટ કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. હવે 8 મહાનગરોમાં રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે.

કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર, રાજ્યના 8 મહાનગરોમાં 18 ફેબ્રુઆરી, 2022 સુધી દરરોજ બપોરે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. ગુજરાત સરકારનો આ આદેશ આવતીકાલે એટલે કે 11 ફેબ્રુઆરીથી લાગુ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર આઠ મહાનગરો સિવાયના તમામ વિસ્તારોમાં નાઇટ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. તે જ સમયે, લગ્નમાં વધુમાં વધુ 300 લોકો હાજરી આપી શકશે.

નવી ગાઈડલાઈનમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધરા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, નવસારી, જેતપુર, કાલવાર, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વર સહિત 19 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ નાબૂદ કરવામાં આવ્યો છે. તે જ સમયે સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક 50% ક્ષમતા સાથે શરૂ કરી શકાય છે. આ સાથે 9મા ધોરણથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના કોચિંગ ક્લાસ 50% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાય છે. નવી માર્ગદર્શિકા અનુસાર, દુકાનો, વ્યાપારી સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સ્પા-સલૂન, બ્યુટી પાર્લર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. હોટેલ-રેસ્ટોરાં સવારે 11 વાગ્યે ખુલશે, પરંતુ ફક્ત 75 ટકા લોકો જ બેસી શકશે જો કે હોમ ડિલિવરી સેવા 24 કલાક ચાલી શકે છે.

Next Story