વડોદરા : કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન રેલી અને સંમેલનનું કરાયું આયોજન
વડોદરા શહેરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન રેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk19 Jun 2022 4:45 PM GMT
X
Connect Gujarat Desk19 Jun 2022 4:45 PM GMT
વડોદરા શહેરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન રેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસભા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કીર્તિસ્તંભ ખાતેથી શરૂ થઈ ચોખંડી સુસેન સર્કલ ચાર રસ્તા થઈ રાજપૂત સમાજની વાડી રાજપૂત ભુવન ખાતે સમાપન થઈ હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત, પ્રદેશ મહામંત્રી શૈલેન્દ્રસિંહ ઠાકોર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા , લખન સિંહ દરબાર, મહેન્દ્રસિંહ રાઠોડ, મનીષ સિંહ પરમાર, સાગરસિંહ ઠાકોર અને વિક્રમ સિંહ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મહારેલી બાદ મહા સંમેલન દરમિયાન પણ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story