વલસાડ : અંબાચ ગામે નાણાંમંત્રીના હસ્‍તે વિવિધ વિકાસ પ્રકલ્‍પો લોકાર્પણ કરાયા…

New Update

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અંબાચ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લી. દ્વારા ટી.એ.એ.પી. ગ્રાન્‍ટમાંથી રૂા. ૧૩.૪૦ કરોડના ખર્ચે નવનર્મિત ૬૬ કે. વી. સબ સ્‍ટેશન, રૂા. ૨૦ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર તેમજ રૂા. ૧૭. ૪૪ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન મળી કુલ ૧૩.૭૭ કરોડના ખર્ચે 3 વિકાસ પ્રકલ્‍પોનાં લોકાર્પણ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુ દેસાઇના વરદ હસ્‍તે કરાયા હતા.

Advertisment

આ અવસરે નાણાંમંત્રી કનુ દેસાઇએ જણાવ્‍યું હતું કે, આ સરકાર જે કામનું ખાતમુહૂર્ત કરે તેનું લોકાર્પણ પણ કરે છે. ૨૪ કલાક વીજળી આપતી જ્‍યોતિગ્રામ યોજનામાં ગુજરાતનું દરેક ગામ જોડાયેલું છે. વલસાડ જિલ્લામાં ૫૦ ટકા સબસ્‍ટેશન છેલ્લા પાંચ વર્ષમાં બન્‍યા છે અને આવનારા બે વર્ષમા બીજા ૨૦ સબસ્‍ટેશનો બનાવવામાં આવશે. સુથારપાડા ખાતે નવી પેટા કચેરી બનાવશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું. દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ જ્‍યારથી ગુજરાતનું સુકાન સંભાળ્‍યું છે, ત્‍યારથી ગુજરાતની અનોખી વિકાસની ક્રાંતિ થઇ છે. વાઇબ્રન્‍ટ ગુજરાત થકી ગુજરાતમાં મોટાપાયે આર્થિક વિકાસ થતાં સૌથી મોટી રોજગારી ગુજરાતમાં મળી રહી છે.

ગુજરાતમાં કૃષિ મહોત્‍સવ શરૂ થયા બાદ રાજ્‍યનો કૃષિદર ૧૦ ટકાની ઉપર હંમેશા રહ્યો છે. જેનું મુખ્‍ય કારણ વીજળી અને પાણી છે. દરેક ગ્રામ પંચાયતને વ્‍યક્‍તિદીઠ ૪૮૮ રૂપિયાની રકમ નાણાંપંચ હેઠળ મળે છે, જેનાથી સરપંચ અનેકવિધ કામો કરી શકતા ગામોનો વિકાસ ઝડપી બન્‍યો છે. કોરોના મહામારીમાં પણ સમગ્ર વિશ્વ કરતાં ઓછું નુક્‍શાન થયું છે, સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં સુવ્‍યવસ્‍થિત રીતે મોટાપાયે રસીકરણના કારણે ત્રીજી લહેરમાં નાણાંપંચ હેઠળ મળે છે, જેનાથી સરપંચ અનેકવિધ કામો કરી શકતા ગામોનો વિકાસ ઝડપી બન્‍યો છે. કોરોના મહામારીમાં પણ સમગ્ર વિશ્વ કરતાં ઓછું નુક્‍શાન થયું છે, સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં સુવ્‍યવસ્‍થિત રીતે મોટાપાયે રસીકરણના કારણે ત્રીજી લહેરમાં ઓછી અસર જોવા મળી હતી. સૌસાથે મળીને ગુજરાતનો વધુ ને વધુ વિકાસ કરીએ તેમ જણાવી વહીવટી તંત્ર અને સરકાર જે રીતે કામગીરી કરી રહયા છે, તે જોતા ગુજરાતના વિકાસને કોઇ રોકી શકે તેમ નથી, તેમ વધુમાં જણાવ્‍યુ હતું.

Advertisment
Read the Next Article

અજાણ્યા વ્યક્તિને મોબાઈલ નેટનું વાઇફાઇ આપતા પહેલા ચેતી જજો..! : ભેજાબાજે જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસનું ઇમેલ ID હેક કરી છેતરપિંડી આચરી...

જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિને તમારા મોબાઈલ નેટનું વાઇફાઇ આપો છો, તો ચેતી જજો... કારણ કે, તમે મુસીબતમાં મુકાય શકો છો. આવો જ એક કિસ્સો જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકના ચોપડે નોંધાયો

New Update
  • સાયબર ક્રાઇમ પોલીસ જ બની સાયબર ક્રાઇમનો શિકાર

  • ભેજાબાજે સાયબર ક્રાઇમ પોલીસના ઇમેલનો કર્યો ઉપયોગ

  • શ્રમિકના મોબાઈલથી વાઇફાઇના આધારે કર્યો હતો ઇમેલ

  • અલગ અલગ બેન્કને નાણાં અનફ્રીઝ કરવા મેઈલ કરાયા

  • પોલીસ દ્વારા અમદાવાદથી ભેજાબાજની ધરપકડ સાથે તપાસ 

Advertisment

જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિને તમારા મોબાઈલ નેટનું વાઇફાઇ આપો છોતો ચેતી જજો... કારણ કેતમે મુસીબતમાં મુકાય શકો છો. આવો જ એક કિસ્સો જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું જ ઇમેલ આઇડી હેક કરી ભેજાબાજે અલગ અલગ બેન્કમાં નાણાં અનફ્રીઝ કરવા ઇમેલ કર્યા હતા.

એક વર્ષ પહેલા જુનાગઢ સાયબર ક્રાઇમને આ મામલે બેંકમાંથી મેઇલ આવ્યો હોત તો જેમાં સાયબર પોલીસ સ્ટેશન દ્વારા જે ઇ-મેલ આઇડીથી મેઈલ મોકલવામાં આવ્યો હતોતેનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. પરંતુ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને કોઈ મેઈલ બેન્કમાં ન મોકલતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતોઅને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતીત્યારે આજે એક વર્ષ બાદ પોલીસે બેંકને સાયબર ક્રાઇમના અધિકારી હોવાની ખોટી ઓળખ ઉભી કરનાર આરોપી વિશાલ વાણંદની અમદાવાદથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આરોપી વિશાલ વાળંદ દ્વારા જુનાગઢ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇમેલ આઇડી ઉપરથી ICICI બેંક, SBI બેંકબેંક ઓફ બરોડા સહિત PNBને અલગ અલગ નાણાં અનફ્રીઝ કરવા માટે મેઈલ કર્યા હતા. અલગ અલગ બેંક દ્વારા કરવામાં આવેલા ફ્રીઝ એકાઉન્ટને લઈને વેરિફિકેશન માટે જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇમેલ આઇડી ઉપર રીપ્લાય મોકલવામાં આવતા મામલાનો ઘટસ્ફોટ થયો હતો.

વિશાલ વાણદ અગાઉ અમદાવાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમ માટે મદદ કરતો હતો. પોતે સાયબર એક્સપર્ટ હોવાથી કેવી રીતે છટકી શકાય તે અંગે પણ જાણકાર છેતેથી તેને આ સમગ્ર બનાવને લઈને મુંબઈ જઈને એક શ્રમિકને નિશાન બનાવ્યો હતો. આ શ્રમિકના મોબાઇલમાંથી પોતાના લેપટોપમાં વાઇફાઇ કનેક્ટ કરી આ બધામાં મેઈલ કર્યા હતા.

પોલીસે ટેકનીકલ સર્વેલન્સથી શ્રમિક સુધી પહોચતા વિશાળ વાણંદનું નામ ખૂલ્યું હતું. જેને લઇને પોલીસે અમદાવાદથી વિશાલ વાળંદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિશાલ વાળંદએ પોતાની ઓળખ જુનાગઢ સાયબર ક્રાઇમના PSI તરીકે આપી સરકારી ઈમેઈલ આઈડી cybercrime-igp-jun@gujarat.gov.inનો દુરૂપયોગ કરી અનેક બેંક ખાતાઓમાં રોકાણ કરેલ રકમ અનફ્રિઝ કરાવી તેના બદલે એક જ ખાનગી ખાતામાં ટ્રાન્સફર કરાવવા માટે ઈમેઈલ મોકલ્યા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ IPC 419420 કલમ હેઠળ છેતરપિંડી અને ખોટી ઓળખ તેમજ IT એક્ટની લાગુ પડતી કલમો હેઠળ કાર્યવાહી કરી છે.

Advertisment
Latest Stories