Connect Gujarat
ગુજરાત

વલસાડ : કનાડુ ખાતે મહિલા મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

વલસાડ : કનાડુ ખાતે મહિલા મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
X

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડુ ગામ ખાતે મહિલા મોરચા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમમાં વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે વૃક્ષના માનવ સાથેના સંબંધોનું મહત્વ સમજાવી સૌને પોતાના ઘરની આસપાસ ખુલ્લી જગ્યાામાં મોટી સંખ્યાનમાં વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે મંત્રીએ વૃક્ષારોપણ કાર્યક્રમનો ઉદેશ સમજાવતા જણાવ્યું હતું કે, આપણા જીવન અને ધર્મ સાથે મોટો નાતો છે. રામાયણમાં સીતા હરણ વખતે સમડીએ સીતાની રક્ષા માટે પોતાનું જીવન ન્યોોછાવર કર્યું હતું, ત્યાંત સમડીનું ઝાડ ઊગ્યુંસ હતું, જે આજે આપણા દરેક ધાર્મિક પ્રસંગોમાં ઉપયોગમાં લેવાય છે. વૃક્ષમાં જીવ અને લાજ પણ છે, છોડમાં રણછોડ છે, જન્મકથી લઈ મૃત્યુ સુધી દરેક પ્રસંગોમાં વૃક્ષની જરૂર પડે છે. વૃક્ષો વરસાદ લાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે. આ વિગતો ધ્યારને રાખી વૃક્ષોનું રક્ષણ કરવા જણાવ્યુંમ હતું. સમતોલ વાતાવરણ માટે ૩૩ ટકા વન વિસ્તાડર છે, જેની સામે વન વિભાગ અને ખાનગી જમીન મળી ૨૨ ટકા વન વિસ્તાડર છે, જેથી બાકી રહેતા વન વિસ્તાનરની પૂર્તિ કરવા માટે વૃક્ષો વાવી તેનું જતન કરવા જણાવ્યુંા હતું.

કોરોના મહામારીમાં પડેલી ઑક્સીજનની મુશ્કે‍લીને ધ્યાીને લઇ ૨૨ એકર પૈકી આશરે ૩ એકર જમીન વૃક્ષારોપણ માટે અનામત રાખી છે, અને તેમાં તબક્કાવાર મોટી સંખ્યાએમાં વૃક્ષોનું વાવેતર કરશે, જે ખરેખર અભિનંદનીય છે. સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓની જાણકારી આપતાં મંત્રીએ વધુમાં જણાવ્યુંે હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪૩૭ આવાસના નિર્માણ માટે સહાય આપવામાં આવનાર છે. નલ સે જલ યોજના હેઠળ ઘર સુધી નળથી પાણી મળે તે પ્રકારની વ્યરવસ્થાર સરકાર કરી રહી છે. આવનજાવનની સરળતા માટે અનેક રસ્તારના નવીનીકરણના કામો હાથ ધરવામાં આવનાર છે.

મંત્રીશ્રીએ વધુમાં કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા પાત્રતા ધરાવતા દરેક વ્ય.ક્તિીઓને વેળાસર રસીકરણ કરાવી લેવા જણાવ્યુંપ હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ અલકા શાહે પર્યાવરણની જાળવણી માટે જરૂરી માર્ગદર્શન આપી વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા જણાવ્યું હતું. વલસાડ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યતક્ષ મુકેશ પટેલે મહિલા મોરચાની સેવાકીય કામગીરીને બિરદાવી હતી અને આવનારા ભવિષ્યકમાં સમતોલ વાતાવરણ માટે બહોળી સંખ્યાબમાં બહોળી સંખ્યારમાં વૃક્ષો વાવવાનો સંકલ્પા કરવા જણાવ્યુંર હતું. આ અવસરે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્ય ક્ષ મુકેશ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યોત, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી, મહામંત્રી પ્રકાશ પટેલ, મહિલા મોરચા પ્રમુખ શોભનાબેન અને તેમની ટીમ, અગ્રણી મહેશ ભટ્ટ, રામદાસ વરઠા સહિત ખૂબ મોટી સંખ્યા માં મહિલા મોરચાના સભ્યોત, આજુબાજુના ગામના સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિરત રહ્યા હતા.

Next Story