New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/02/bharat-rang-mahotsav.jpg)
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ દ્વારા તા. પાંચમી ફેબ્રુઆરીએ રાત્રે અમદાવાદમાં ૧૮મા ભારત રંગ મહોત્સવનો પ્રારંભ કરાયો. આ રંગ મહોત્સવ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને ગુજરાત વિદ્યાસભા લલિતકલા કેન્દ્રના ઉપક્રમે એચ. કે. આર્ટ્સ કોલેજના હોલમાં ૬ દિવસ માટે યોજાઈ રહ્યો છે. આ ભારત રંગ મહોત્સવ અંતર્ગત ૩ રાષ્ટ્રીય અને ૩ આંતરરાષ્ટ્રીય નાટ્યકૃતિઓનું મંચન થવાનું છે. આજ રોજ મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી સમક્ષ ઓસ્ટ્રેલિયન નાટક સ્ટોરીઝ આઈ વોન્ટ ટુ ટેલ યુ ઈન પર્સનની પ્રસ્તુતિ થવાની છે.