કાજુમાંથી બનેલા આ ફેસ પેક ત્વચાની ચમક અને રંગમાં કરે છે વધારો,વાંચો

કાજુને પ્રોટીનનો ખજાનો કહેવામાં આવે છે. શરીરમાં એનર્જી લેવલને જાળવી રાખે છે. તેને ખાવાથી એનિમિયાની સમસ્યા નથી થતી,

New Update

કાજુને પ્રોટીનનો ખજાનો કહેવામાં આવે છે. શરીરમાં એનર્જી લેવલને જાળવી રાખે છે. તેને ખાવાથી એનિમિયાની સમસ્યા નથી થતી, યાદશક્તિ વધે છે અને સૌથી મહત્વની વાત એ છે કે ત્વચા પણ ચમકદાર બને છે. તો ચહેરાના રંગને નિખારવા માટે તમે ફેસ પેક બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કે કાજુનો ફેસ પેક કેવી રીતે બનાવી અને લગાવવામાં આવે છે.

Advertisment

1. દૂધ- કાજુ ફેસ પેક :-

સામગ્રી - 2 કાજુ, 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી દૂધ

દૂધ- કાજુ ફેસ પેક બનાવવા માટેની રીત :-

- કાજુને દૂધમાં 15 મિનિટ પલાળ્યા પછી, તેને પીસીને પેસ્ટ બનાવો.

- આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો અને તેમાં ચણાનો લોટ અને પાણી ઉમેરીને બેટર બનાવો.

- તેને ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો.

Advertisment

- આ પેસ્ટને અઠવાડિયામાં એકવાર લગાવો.

2. કાજુ- એલોવેરા ફેસ પેક :-

સામગ્રી - 7-8 કાજુની પેસ્ટ, 1 ચમચી તાજા એલોવેરા જેલ

કાજુ- એલોવેરા ફેસ પેક બનાવવાની રીત :-

- બાઉલમાં કાજુની પેસ્ટ અને તાજા એલોવેરા જેલને સારી રીતે મિક્સ કરો.

- ચહેરાને સાબુથી સારી રીતે ધોયા પછી તેને લગાવો અને 10-15 મિનિટ પછી ધોઈ લો.

Advertisment

- આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર લગાવવાથી થોડા દિવસોમાં ત્વચા ચમકદાર દેખાવા લાગશે.

3. એવોકાડો- દૂધનો ફેસ પેક :-

સામગ્રી - 2 ચમચી કાજુ દૂધ, 1 ચમચી એવોકાડો મેશ, 1 ચમચી એલોવેરા જેલ

એવોકાડો- દૂધનો ફેસ પેક બનાવવાની રીત :-

- બાઉલમાં ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો.

- તેને ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો.

- આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર લગાવો, જલ્દી જ ત્વચા ચમકવા લાગશે.

4. કાજુ- ઓટ્સ ફેસ પેક :-

સામગ્રી - કાજુની પેસ્ટ, ટીસ્પૂન મુલતાની મિટ્ટી ગ્રાઈન્ડ, ટીસ્પૂન ઓટ્સ ગ્રાઈન્ડ કરેલા

. કાજુ- ઓટ્સ ફેસ પેક બનાવવાની રીત :-

- બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ચહેરો ધોઈ લો.

- આ પેસ્ટને અઠવાડિયામાં એકવાર લગાવો, થોડા દિવસોમાં ત્વચા ખીલી ઉઠશે.

કોઈપણ પ્રકારની એલર્જી અથવા ત્વચા સંબંધિત કોઈપણ સમસ્યા હોય તે લોકોએ આ ફેસ પેકનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી તે પછી આ ફેસ પેકનો ઉપયોગ કરવો.

Advertisment
Read the Next Article

સિંગાપોર હોંગકોંગ બાદ ભારતમાં પણ કોરોનાનો પગપેસારો,આરોગ્ય વિભાગ સજ્જ

કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર લોકોમાં ભય ઉભો કર્યો છે. આ નવા વેરિયન્ટના 257 કેસ દેશમાં નોંધાયા છે.તો ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે..

New Update
Corona virus

સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસમાં વધારો થવાથી ભારતીયોમાં પણ દહેશતની લાગણી છે. કોરોનાનો JN.1 વેરિઅન્ટના અનેક દેશોમાં કેસ નોંધાયા છે. કોરોનાના દેશમાં 257 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે.

Advertisment

કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર લોકોમાં ભય ઉભો કર્યો છે. આ નવા વેરિયન્ટના 257 કેસ દેશમાં નોંધાયા છે.તો ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે. એક અઠવાડિયાની અંદર જ રાજ્યમાં 6 નવા કેસ નોંધાયા છે. જો કે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ પણ થયું છે. જો કે વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના 12.81 લાખ કેસ નોંધાયા છે.2020થી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 11 હજારથી વધુના મોત થયા છે. ત્યાર હવે ગુજરાતનું તંત્ર ફરી એલર્ટ મોડ પર આવી ગયું છે અને તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં નોંધાય છે.જે 95 એક્ટિવ કેસ છે,તો પછી બીજા નંબરે તમિલનાડુ 66 એક્ટિવ કેસ સાથે છે. આ લિસ્ટમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. ફરી એકવાર કેરળતમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધવા લાગ્યા છે. મુંબઈમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત બાદ શહેરમાં તકેદારી વધારી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે.

Advertisment
Latest Stories