Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1204 નવા કેસ નોધાયા,14 દર્દીઓના મોત

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1204 નવા કેસ નોધાયા,14 દર્દીઓના મોત
X

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1204 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે વધુ 14 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. અને 1324 દર્દીઑને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 84466 પર પહોંચી છે. અને કુલ મુત્યુઆંક 2869 થયો છે.

રાજ્યમાં આજે 1204 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 169, અમદાવાદ કોર્પોરેશનમાં 156, વડોદરા કોર્પોરેશનમાં 97, સુરતમાં 82, રાજકોટ કોર્પોરેશનમાં 60, જામનગર કોર્પોરેશન 69, પંચમહાલ 44, કચ્છ 38, દાહોદ 32, રાજકોટ 37, ભરૂચ 31, અમરેલી 29, દાહોદ 28, મહેસાણા 27, અમદાવાદ 23, બનાસકાંઠા 23, વડોદરા 23, મોરબી 20, જુનાગઢ 19, ગાંધીનગર કોર્પોરેશન 18, ગીર સોમનાથ 17, ગાંધીનગર 16, ભાવનગર 15, પાટણ 15, આણંદ 14, જુનાગઢ કોર્પોરેશનમાં 13, ભાવનગર કોર્પોરેશન 12 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 14 દર્દીના કોરોના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, આણંદમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, પાંચમહાલમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 નું મોત થયું છે.

રાજ્યમાં હાલ 14320 એક્ટિવ કેસ છે, જ્યારે 67277 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 14231 લોકો સ્ટેબલ છે.

Next Story