Connect Gujarat
Featured

મોદી સરકાર સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં, ભારત બંધનું એલાન આપ્યું સાથેજ પીએમ મોદીના પૂતળાનું દહન કરશે

મોદી સરકાર સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં, ભારત બંધનું એલાન આપ્યું  સાથેજ પીએમ મોદીના પૂતળાનું દહન કરશે
X

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો આંદોલનને વધુ તીવ્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. 8 ડિસેમ્બરે ખેડૂતોએ ભારત બંધ નું એલાન આપ્યું હતું. સાથે જ દેશભરમાં વડા પ્રધાન મોદીના પૂતળા દહન કરવાની પણ ખેડૂતો એ જાહેરાત કરી હતી. દિલ્હીને જોડતાં તમામ રસ્તા અને ટોલ પ્લાજા બંધ કારવવાની પણ ચીમકી આપી હતી, સાથે જ ઘણા વીર સપૂતોએ પણ મેડલ પરત કરવાની વાત કરી હતી.

આંદોલનકારી નેતાઓએ કહ્યું કે આજે તમિલનાડુ અને કર્ણાટકમાં પણ અમારું પ્રદર્શન હતું. હવે આ ખેડૂતો એ પણ દિલ્હી આવવાનું કહ્યું હતું. તેમણે સમગ્ર દેશના ખેડૂતો ને દિલ્હી આવવા હાકલ કરી હતી. ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે હવે યુદ્ધ થશે, પીછેહઠ કોઈ પણ મુદ્દે નહીં થાય.

Next Story