Connect Gujarat
દેશ

ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું 90 વર્ષની વયે નિધન,CM યોગીએ દૂ:ખ વ્યકત કર્યું.....

દેશ અને દુનિયામાં ધાર્મિક પુસ્તકોનું સૌથી મોટું કેન્દ્ર ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું નિધન થઈ ગયુ છે.

ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું 90 વર્ષની વયે નિધન,CM યોગીએ દૂ:ખ વ્યકત કર્યું.....
X

દેશ અને દુનિયામાં ધાર્મિક પુસ્તકોનું સૌથી મોટું કેન્દ્ર ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું નિધન થઈ ગયુ છે. તેમણે 90 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેમણે વર્ષ 1950માં ગીતા પ્રેસ ટ્રસ્ટ જોઈન કર્યું હતું. શહેરના સિવિલ લાઈન્સ સ્થિત હરિઓમનગર આવાસ પર શુક્રવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્રસ્ટી તરીકે સમ્માનિત પણ કર્યા હતા. બૈજનાથ અગ્રવાલના નિધન પર આજે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું- ગીતા પ્રેસ ગોરખપુરના ટ્રસ્ટી શ્રી બૈજનાથ અગ્રવાલજીનું નિધન અત્યંત દુઃખદ છે. છેલ્લા 40 વર્ષથી ગીતા પ્રેસના ટ્રસ્ટી તરીકે બૈજનાથજીનું જીવન સામાજિક જાગૃતિ અને માનવ કલ્યાણ માટે સમર્પિત રહ્યું છે. તેમના નિધનથી સમાજને અપુરતી ખોટ પડી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને સમગ્ર ગીતા પ્રેસ પરિવારને આ મોટું દુ:ખ સહન કરવાની શક્તિ આપે. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા વર્ષ 2021માં ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી ચૂકી છે. જેના પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગીતા પ્રેસ વિશ્વની એક માત્ર એવી પ્રિન્ટિંગ પ્રસ છે જે માત્ર એક સંસ્થા નથી પરંતુ એક જીવંત આસ્થા છે.

Next Story