ICSE અને CBSEની ધો. 10-12ની બોર્ડની પરીક્ષા ઓફલાઇન થશે કે ઑનલાઈન? આજે SC આપશે ચુકાદો

New Update

ICSE અને CBSE બોર્ડ એક્ઝામ એપ્રિલ 2022માં શરૂ થઈ રહી છે.બોર્ડ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, આ પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં થવાની છે. જો કે, વિદ્યાર્થીઓ ઓનલાઈન અથવા હાઈબ્રિડ મોડમાં પરીક્ષા કરાવવાની માગ કરી રહ્યા છે. આઈસીએસઈ સીબીએસઈ ઓફલાઈન પરીક્ષા કેન્સલ કરવાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી લગાવી છે. આજે 22 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટ આ અરજી પર સુનાવણી થઈ શકે છે. ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા એનવી રમણાએ મામલાની તાત્કાલિક સુનાવણી કરવા અરજી પણ સ્વિકાર કરી લીધી છે. વકીલ પ્રશાંત પદ્મનાભને સુપ્રીમ કોર્ટમાં ઓફલાઈન બોર્ડ એક્ઝામ રદ કરવાની માગવાળી અરજી પર ફટાફટ સુનાવણી કરવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, આ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા સંબંધમાં છે, કોરોના મહામારીના કારણે ફિજિકલ ક્લાસિસ પણ સંચાલિત નથી કરી શકતા. તેના પર સીજેઆઈ એનવી રમણાએ કહ્યું કે, ઠીક છે. મામલાને જસ્ટિસ એએમ ખાનવિલકરની બેંચ પાસે મોકલી દઈએ છીએ. 15 રાજ્યોના વિદ્યાર્થીઓએ અરજી દાખલ કરીને ઓફલાઈન પરીક્ષા રદ કરવા અને વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિથી રિઝલ્ટ તૈયાર કરવાની માગ કરી છે. આ ઉપરાંત અરજીમા તમામ બોર્ડ્સને સમયસર રિઝલ્ટ જાહેર કરવા નિર્દેશ આપવા અને અલગ અલગ પડકારોને જોતા ઈંપ્રુવમેંટ એક્ઝામનો વિકલ્પ આપવાની માગ પણ કરી છે.અરજીમાં કહેવાયુ છે કે, અમુક સ્ટેટ બોર્ડ ટાઈમટેબલ જાહેર કરી દીધું છે, પણ અમુકમાં હજૂ ચર્ચા ચાલી રહી છે. રાજ્ય સરકારો અને બોર્ડના આવા વર્તનથી સ્ટૂડેંટ્સ પણ અસંતુષ્ટ છે. વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય અને કરિયરને લઈને ચિંતિત અને તણાવમાં છે. પણ સ્ટેટ બોર્ડ ખાલી મૂકદર્શક બનેલું છે.

Read the Next Article

ઝારખંડમાં કોલસાની ખાણ અચાનક ધસી પડતાં 4 લોકોના મોત, 6 ઘાયલ

ઝારખંડના રામગઢમાં કોલસાની ખાણ અચાનક ધસી પડવાથી 4 ગ્રામજનોના મોત થયા છે. જ્યારે કેટલાક ગ્રામજનો કોલસાના કાટમાળ નીચે દટાઈ જવાથી ઘાયલ થયા..

New Update
JHARKAHND

ઝારખંડના રામગઢ જિલ્લાના સીસીએલ કર્મા પ્રોજેક્ટમાં એક મોટી દુર્ઘટના બની છે. કેટલાક ગ્રામજનો ગેરકાયદેસર ખાણકામ માટે સીસીએલના કુજુ સ્થિત સેન્ટ્રલ કોલફિલ્ડ લિમિટેડના કર્મા પ્રોજેક્ટમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન કોલસાની ખાણ અચાનક ધસી પડવાથી 4 ગ્રામજનોના મોત થયા છે. જ્યારે કેટલાક ગ્રામજનો કોલસાના કાટમાળ નીચે દટાઈ જવાથી ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ, તેઓ કર્મા પ્રોજેક્ટમાં કોલસો ચોરી કરવા આવ્યા હતા. આ દરમિયાન ગેરકાયદેસર ખાણકામ ખાણનો મોટો ભાગ ધસી પડવાથી ચાર લોકો દટાઈ ગયા હતા. આ ઘટનામાં ચારેયના મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ ગ્રામજનો ઉતાવળમાં ઘટનાસ્થળે પહોંચ્યા અને ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા. સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ, મૃતકોની ઓળખ ઈમ્તિયાઝ, રામેશ્વર માંઝી, વકીલ કર્માલી અને નિર્મલ મુંડા તરીકે થઈ છે.

ગ્રામજનો સમગ્ર ઘટના માટે સીસીએલ મેનેજમેન્ટને દોષી ઠેરવી રહ્યા છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે આ અકસ્માત CCLની ગંભીર બેદરકારીને કારણે થયો છે. ખાણમાં ખુલ્લી બાઉન્ડ્રી વોલ કે કોઈપણ પ્રકારની વાડ નહોતી, જેના કારણે લોકો ખાણમાં સરળતાથી પ્રવેશ કરી શકતા હતા. ગ્રામજનોએ DGMS (ખાણ સલામતી નિર્દેશાલય) ના નિયમોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.


કોલસા ખાણમાં થયેલા દુ:ખદ અકસ્માતની માહિતી મળ્યા બાદ, વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. JCB મશીનોની મદદથી કાટમાળ કાઢવામાં આવી રહ્યો છે. કાટમાળ હટાવ્યા પછી, અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવશે. કાટમાળ કાઢવા માટે ઘણા મશીનો લગાવવામાં આવ્યા છે. કોલસા ખાણ ધરાશાયી થવાથી અત્યાર સુધીમાં 4 ગ્રામજનોના મોત થયા છે, જ્યારે ઘણા ગ્રામજનો હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.