દેશમાં છેલ્લા 24 કલાકમાં 2288 નવા કેસ નોધાયા, 10 સંક્રમિતોના મોત
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં મંગળવારે 2288 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા છે
BY Connect Gujarat Desk10 May 2022 4:28 AM GMT
X
Connect Gujarat Desk10 May 2022 4:28 AM GMT
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં મંગળવારે 2288 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 3044 લોકો સાજા થયા છે. સોમવારે 3207 નવા કેસ અને 29 સંક્રમિતોના મોત થયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 19,637 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,103 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,63,949 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 190,50,86,706 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13,90,912 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
Next Story