'ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને મજબૂત કરશે, નિકાસ 6 ગણી વધી', બજેટ વેબિનારમાં PM મોદી, જાણો વધુમાં શું કહ્યું
સંરક્ષણ મંત્રાલય સાથે સંબંધિત કેન્દ્રીય બજેટ 2022-23માં સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
BY Connect Gujarat Desk25 Feb 2022 6:10 AM GMT
X
Connect Gujarat Desk25 Feb 2022 6:10 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રક્ષા ક્ષેત્ર પર બજેટ બાદ વેબિનારને સંબોધિત કરી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલય સાથે સંબંધિત કેન્દ્રીય બજેટ 2022-23માં સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
વેબિનારને સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે ગુલામીના સમયગાળા દરમિયાન અને આઝાદી પછી તરત જ, આપણા સંરક્ષણ ઉત્પાદનની તાકાત ઘણી ઊંચી હતી. બીજા વિશ્વ યુદ્ધમાં ભારતમાં બનેલા હથિયારોએ મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત તેના સંરક્ષણ ક્ષેત્રમાં જે આત્મનિર્ભરતા પર ભાર આપી રહ્યું છે, તે તમને આ વર્ષના બજેટમાં તેની પ્રતિબદ્ધતા જોવા મળશે.
Next Story