Connect Gujarat
દેશ

યાત્રી કૃપયા ધ્યાન દે: મુંબઈમાં 15 ઓગસ્ટથી લોકલ ટ્રેન સેવા શરૂ થશે

યાત્રી કૃપયા ધ્યાન દે: મુંબઈમાં 15 ઓગસ્ટથી લોકલ ટ્રેન સેવા શરૂ થશે
X

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મુંબઈ લોકલ ટ્રેનસેવા શરૂ કરવા સંબંધિત એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મુંબઈ લોકલ ટ્રેનસેવાની શરૂઆત 15 ઓગસ્ટથી થશે. જોકે લોકલ ટ્રેનમાં તે જ લોકોને મુસાફરી કરવાની અનુમતિ હશે, જેમણે કોરોના વાઈરસની રસીના બંને ડોઝ લીધા હશે.

ઉલ્લેખનીય છે કે લોકલ ટ્રેનમાં યાત્રા કરવા માટે એક પેસેન્જર પાસ જરૂરી હશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે પેસેન્જર મોબાઈલ એપના માધ્યમથી ટ્રેનનો પાસ ડાઉનલોડ કરી શકાશે. એવા લોકો, જેમની પાસે સ્માર્ટફોન નથી તેઓ શહેરમાં સ્થિત મ્યુનિસિપલ વોર્ડ કાર્યાલયોમાંથી કે ઉપનગરી રેલવે સ્ટેશનમાંથી ફોટો પાસ લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં લોકલ ટ્રેન ફરીથી શરૂ કરવાના સવાલ પર ગુરુવારે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રાવ સાહેબ દાનવેએ કહ્યું હતું કે જો રાજ્ય સરકાર આ સંબંધમાં પ્રસ્તાવ આપે છે તો વિચાર કરવામાં આવી શકે છે.

Next Story