Connect Gujarat
દેશ

મનસુખ માંડવિયા આજે કોરોનાની સ્થિતિ પર 5 રાજ્યો સાથે મહત્વની બેઠક કરશે,જાણો કોણ રહેશે ઉપસ્થિત

ભારતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. વાયરસના ચોંકાવનારા નવા કેસો સામે આવી રહ્યા છે.

મનસુખ માંડવિયા આજે કોરોનાની સ્થિતિ પર 5 રાજ્યો સાથે મહત્વની બેઠક કરશે,જાણો કોણ રહેશે ઉપસ્થિત
X

ભારતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. વાયરસના ચોંકાવનારા નવા કેસો સામે આવી રહ્યા છે. કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે બપોરે 3 વાગ્યે પાંચ રાજ્યો સાથે સમીક્ષા બેઠક કરશે, જેમાં બિહાર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આરોગ્ય મંત્રીઓ સામેલ થશે.

જાહેર આરોગ્ય સજ્જતાની સમીક્ષા કરવા ઉપરાંત, બેઠકમાં SARS-CoV-2 ના ઓમિક્રોન વેરિઅન્ટના સંદર્ભમાં લેવામાં આવતા પગલાંની પણ સમીક્ષા કરવામાં આવશે. દેશમાં કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને જોતા અવારનવાર આરોગ્યની સ્થિતિ અંગે બેઠકો યોજવામાં આવી રહી છે. , આ પહેલા શુક્રવારે કેન્દ્રીય મંત્રી માંડવિયાએ દક્ષિણના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પુડુચેરી, તેલંગાણા, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે.

દેશમાં કોવિડ-19 કેસની વધતી જતી સંખ્યાને રોકવા માટેના પગલાં પર આ બેઠક યોજાઈ હતી, જેમાં ટેલિકોન્સલ્ટેશન, ઈ-સંજીવની, હોમ આઈસોલેશન પર દેખરેખ રાખવા અને કોવિડ-19 પરીક્ષણોની ઓછી ટકાવારી દર્શાવતા રાજ્યોમાં RTPCR વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઘણી સૂચનાઓ આપી હતી. તેમણે રાજ્યોને 15-17 વર્ષની વયજૂથ માટે રસીકરણની ગતિ ઝડપી બનાવવા હાકલ કરી હતી અને જેમને તેમનો બીજો ડોઝ મળ્યો નથી તેમને વહેલામાં વહેલી તકે રસીકરણ આપવા વિનંતી કરી હતી. અગાઉ, કેન્દ્રીય પ્રધાને નવ ઉત્તરીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં તેઓએ COVID-19 પરીક્ષણ અને રસીકરણ ડેટા સમયસર મોકલવાની સલાહ આપી હતી. આ સાથે, તેમણે પરીક્ષણ પ્રક્રિયાને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો.

Next Story