Connect Gujarat
દેશ

રાજ ઠાકરેની મોટી જાહેરાતઃ 3 મેના રોજ પાર્ટી મહારાષ્ટ્રના મંદિરોમાં લાઉડસ્પીકર લગાવીને કરશે 'આરતી'

ઔરંગાબાદમાં 1 મેના રોજ પાર્ટીની બેઠક અને જૂનમાં અયોધ્યા યાત્રાના મુદ્દાઓ પર રણનીતિ તૈયાર કરવામાં આવશે

રાજ ઠાકરેની મોટી જાહેરાતઃ 3 મેના રોજ પાર્ટી મહારાષ્ટ્રના મંદિરોમાં લાઉડસ્પીકર લગાવીને કરશે આરતી
X

મહારાષ્ટ્રમાં અજાન અને હનુમાન ચાલીસાના વિવાદ વચ્ચે, રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો 3 મેના રોજ અક્ષય તૃતીયાના અવસરે રાજ્યભરના તેમના સ્થાનિક મંદિરોમાં 'મહા આરતી' કરશે. આ આરતી લાઉડસ્પીકર દ્વારા કરવામાં આવશે. આ સિવાય MNS પ્રમુખ રાજ ઠાકરે પણ આજે તેમની પાર્ટીના મોટા નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં મસ્જિદમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે 3 મેના અલ્ટીમેટમ, ઔરંગાબાદમાં 1 મેના રોજ પાર્ટીની બેઠક અને જૂનમાં અયોધ્યા યાત્રાના મુદ્દાઓ પર રણનીતિ તૈયાર કરવામાં આવશે. જાહેર સ્થળોએ લાઉડસ્પીકરના ઉપયોગના મુદ્દે મહારાષ્ટ્રના ડીજીપી આજે તમામ પોલીસ કમિશનર, આઈજી અને એસપી સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે.

Next Story