પ્રયાગરાજ : મહાકુંભમાં મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન માટે ઉમટ્યો જનસેલાબ,અમૃત સ્નાનનું છે વિશેષ મહત્વ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર ગંગા સ્નાનનું અનેરું મહત્વ રહ્યું છે,ત્યારે મૌની અમાવસ્યાના પાવન અવસર નિમિત્તે જનસેલાબ ઉમટી પડ્યો છે,

author-image
By Connect Gujarat Desk
New Update
  • પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાએ ઉમટ્યો જનસેલાબ

  • મહાકુંભનો છે સૌથી મોટો દિવસ

  • ગંગાજીમાં અમૃત સ્નાનનું છે અનેરું મહત્વ

  • પાવન અવસર નિમિત્તે બીજું શાહી સ્નાન યોજાયું

  • અંદાજે 20 કરોડ લોકો ગંગાજીમાં લગાવી ચૂક્યા છે ડૂબકી

Advertisment

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર ગંગા સ્નાનનું અનેરું મહત્વ રહ્યું છે,ત્યારે મૌની અમાવસ્યાના પાવન અવસર નિમિત્તે જનસેલાબ ઉમટી પડ્યો છે,અને અમૃત સ્નાનની શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી છે.

માઘ મહિનાની અમાસ છેતેનું નામ મૌની અમાસ છે.આ મહાકુંભનો સૌથી મોટો દિવસ છે. આજે પ્રયાગરાજના કુંભમાં બીજું અમૃત સ્નાન છે. નદી સ્નાન અને ધાર્મિક વિધિઓની દૃષ્ટિએ મૌની અમાસનું ઘણું મહત્વ છે. આ તહેવાર પર મૌન રહીને ધાર્મિક વિધિઓ કરવાની અને આખો દિવસ મૌન રહેવાની પરંપરા છે.

આ અમાવસ્યા પર મૌન વ્રત રાખવાનું બ્રહ્માપદ્મ અને વાયુ પુરાણમાં કહેવામાં આવ્યું છે. તેના મતેમાઘ મહિનાની અમાવાસ્યાના દિવસે ભગવાન વિષ્ણુ અને પૂર્વજોની પૂજા કરવાની સાથે આ દિવસે મૌન વ્રત રાખવાથી ઘણું પુણ્ય મળે છે.મહાકુંભમાં સ્નાન કરનારા ભક્તોની સંખ્યા દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે.

મુખ્ય સ્નાન પર્વ મૌની અમાવસ્યા પર સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવાનો ઉત્સાહ ચરમસીમાએ રહ્યો છે.મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં રેકોર્ડ સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે.સંગમમાં ડૂબકી લગાવનારા લોકોની સંખ્યા વધવાને કારણે મકરસંક્રાંતિ પર પ્રથમ શાહી સ્નાનનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.અને અત્યાર સુધીમાં મહાકુંભમાં 20 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગાજીમાં ડૂબકી લગાવી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment
Read the Next Article

IRCTC એ રેલ મુસાફરોની સુવિધા માટે નવી SwaRail એપ કરી લોન્ચ

IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) એ રેલ મુસાફરોની સુવિધા માટે નવી SwaRail   એપ લોન્ચ કરી છે. જોકે, આ મોબાઇલ એપ હાલમાં એન્ડ્રોઇડ પર ટેસ્ટિંગ મોડમાં છે

New Update
irtcirtc 11

IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) એ રેલ મુસાફરોની સુવિધા માટે નવી SwaRail   એપ લોન્ચ કરી છે.

Advertisment

જોકે, આ મોબાઇલ એપ હાલમાં એન્ડ્રોઇડ પર ટેસ્ટિંગ મોડમાં છે અને ટૂંક સમયમાં બધા મોબાઇલ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે. આ એપ દ્વારા રેલવે મુસાફરો માત્ર રિઝર્વ ટિકિટ જ નહીં પરંતુ અનરિઝર્વ ટિકિટ તેમજ પ્લેટફોર્મ ટિકિટ પણ બુક કરાવી શકશે. તમને જણાવી દઈએ કે હાલમાં રેલવે મુસાફરોને રિઝર્વે  અને અનરિઝર્વ્ડ  ટિકિટ બુક કરવા માટે અલગ અલગ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડે છે. હાલમાં, અનરિઝર્વ્ડ ટિકિટ ફક્ત UTS એપ પર જ બુક કરાવી શકાય છે.

SwaRail  એપ પર  મુસાફરોને ફક્ત તેમની ટ્રેન જ નહીં પરંતુ તેમની સમગ્ર મુસાફરીને લગતી તમામ સુવિધાઓ સરળતાથી મળશે. SwaRail  એપ પર, તમે રૂટ પર દોડતી બધી ટ્રેનો, તેમના રૂટ, સમય અને સ્ટોપેજ વિશે માહિતી મેળવી શકો છો. આ મોબાઇલ એપ પર, તમે PNR સ્ટેટસ, કોચ પોઝિશન, રનિંગ સ્ટેટસ (લાઈવ ટ્રેન ટ્રેકિંગ) ચેક કરી શકો છો અને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી શકો છો. રિફંડ માટે ફાઇલિંગ એપ પર પણ કરી શકાય છે. આ ઉપરાંત, તમે આ એપ પર તમારા પ્રવાસના અનુભવો પણ પ્રતિસાદ તરીકે શેર કરી શકો છો.

SwaRail  એપની સૌથી ખાસ વાત એ છે કે તમે તેના દ્વારા રેલ હેલ્પ સુવિધાનો પણ ઉપયોગ કરી શકો છો. રેલ મદદ એ ટ્રેન મુસાફરો માટે ખૂબ જ જરૂરી પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારી ટ્રેન મુસાફરી સંબંધિત કોઈપણ પ્રકારની અસુવિધા માટે ફરિયાદ નોંધાવી શકો છો. આ ઉપરાંત, આના દ્વારા તમે તાત્કાલિક સુરક્ષા અને તબીબી સહાય માટે સીધા રેલ્વેનો સંપર્ક કરી શકો છો. આ એપ હજુ સુધી iPhone વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ નથી. જોકે, આ એપ બધા માટે ઉપલબ્ધ થવામાં હજુ થોડો સમય લાગશે.  

Advertisment