પ્રયાગરાજ : મહાકુંભમાં મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન માટે ઉમટ્યો જનસેલાબ,અમૃત સ્નાનનું છે વિશેષ મહત્વ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર ગંગા સ્નાનનું અનેરું મહત્વ રહ્યું છે,ત્યારે મૌની અમાવસ્યાના પાવન અવસર નિમિત્તે જનસેલાબ ઉમટી પડ્યો છે,

author-image
By Connect Gujarat Desk
New Update
  • પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાએ ઉમટ્યો જનસેલાબ

  • મહાકુંભનો છે સૌથી મોટો દિવસ

  • ગંગાજીમાં અમૃત સ્નાનનું છે અનેરું મહત્વ

  • પાવન અવસર નિમિત્તે બીજું શાહી સ્નાન યોજાયું

  • અંદાજે 20 કરોડ લોકો ગંગાજીમાં લગાવી ચૂક્યા છે ડૂબકી

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર ગંગા સ્નાનનું અનેરું મહત્વ રહ્યું છે,ત્યારે મૌની અમાવસ્યાના પાવન અવસર નિમિત્તે જનસેલાબ ઉમટી પડ્યો છે,અને અમૃત સ્નાનની શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી છે.

માઘ મહિનાની અમાસ છેતેનું નામ મૌની અમાસ છે.આ મહાકુંભનો સૌથી મોટો દિવસ છે. આજે પ્રયાગરાજના કુંભમાં બીજું અમૃત સ્નાન છે. નદી સ્નાન અને ધાર્મિક વિધિઓની દૃષ્ટિએ મૌની અમાસનું ઘણું મહત્વ છે. આ તહેવાર પર મૌન રહીને ધાર્મિક વિધિઓ કરવાની અને આખો દિવસ મૌન રહેવાની પરંપરા છે.

આ અમાવસ્યા પર મૌન વ્રત રાખવાનું બ્રહ્માપદ્મ અને વાયુ પુરાણમાં કહેવામાં આવ્યું છે. તેના મતેમાઘ મહિનાની અમાવાસ્યાના દિવસે ભગવાન વિષ્ણુ અને પૂર્વજોની પૂજા કરવાની સાથે આ દિવસે મૌન વ્રત રાખવાથી ઘણું પુણ્ય મળે છે.મહાકુંભમાં સ્નાન કરનારા ભક્તોની સંખ્યા દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે.

મુખ્ય સ્નાન પર્વ મૌની અમાવસ્યા પર સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવાનો ઉત્સાહ ચરમસીમાએ રહ્યો છે.મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં રેકોર્ડ સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે.સંગમમાં ડૂબકી લગાવનારા લોકોની સંખ્યા વધવાને કારણે મકરસંક્રાંતિ પર પ્રથમ શાહી સ્નાનનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.અને અત્યાર સુધીમાં મહાકુંભમાં 20 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગાજીમાં ડૂબકી લગાવી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઇન કર્યા

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

New Update
marathi bhasa

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

વ્યાપારી સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો. હવે તેના જવાબમાં મનસેના કાર્યકરોએ મંગળવારે રેલી કાઢી છે, જ્યાં પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે.

એવું કહેવામાં આવે છે કે આ રેલી પોલીસની પરવાનગી વિના કાઢવામાં આવી હતી અને તેના કારણે થાણે જિલ્લામાં ભારે ટ્રાફિક જામ અને તણાવ સર્જાયો હતો. રેલી શરુ થાય તે પહેલાં જ પોલીસે સવારે 3:30 વાગ્યે મનસેના થાણે અને પાલઘરના વડા અવિનાશ જાધવ સહિત ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મનસેના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલી મંજૂર રૂટ પર નહોતી. તેથી જ પોલીસે કાર્યવાહી કરવી પડી. મહારાષ્ટ્ર એક લોકશાહી રાજ્ય છે અને અહીં કોઈપણ વિરોધ કરી શકે છે, પરંતુ તેના માટે પહેલા પરવાનગી લેવી પડશે.'

આ અંગે પ્રતિક્રિયા આપતાં મનસે નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું, 'આ પરિસ્થિતિ કટોકટી જેવી છે. ગુજરાતી વેપારીઓની રેલીને પૂર્ણ સન્માન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમારા નેતાઓની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. શું આ મહારાષ્ટ્ર સરકાર છે કે ગુજરાત સરકાર? સરકાર ગમે તે કરે, મરાઠી લોકોની આ રેલી ચોક્કસ થશે.'

આ મહિનાની શરુઆતમાં મીરા-ભાયંદર વિસ્તારમાં એક ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં વાત ના કરવાના કારણે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી વેપારી સમુદાયમાં ઘણો ગુસ્સો હતો. વેપારીઓએ આ ઘટનાનો વિરોધ કરવા માટે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું. મનસેએ તેને મરાઠી ઓળખની વિરુદ્ધ ગણાવ્યું હતું અને વિરોધમાં પોતે રેલી કાઢી હતી.

Maharastra | Controversy | MNS | Mumbai | Mumbai Police