પંજાબ : ભટિંડા સ્થિત આર્મી વિસ્તારમાં ફાયરિંગની બની ઘટના, 4 જવાનોના મોત
BY Connect Gujarat12 April 2023 4:32 AM GMT
X
Connect Gujarat12 April 2023 4:32 AM GMT
પંજાબના ભટિંડા સ્થિત આર્મી વિસ્તારમાં ફાયરિંગના સમાચાર આવી રહ્યા છે. કેન્ટોનમેન્ટ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ કેન્ટોનમેન્ટમાં કોઈને પણ પ્રવેશવા દેવામાં આવી રહ્યો નથી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે કેન્ટમાં ફાયરિંગ થયું છે જેમાં 4 જવાનોના મોત થયા છે.
સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર આજે સવારે લગભગ 4.35 વાગ્યે ગોળીબારની ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. સ્ટેશન ક્વિક રિએક્શન ટીમો સક્રિય કરવામાં આવી હતી અને વિસ્તારને કોર્ડન કરીને સીલ કરવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન ચાલુ છે.
Next Story