રાહુલ ગાંધીની કટાક્ષ, સાંસદોને PM મોદી અને અદાણીનો માસ્ક પહેરાવીને કર્યો રમુજી ઇન્ટરવ્યૂ

વિપક્ષી સાંસદોએ PM મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ચહેરાના માસ્ક પહેરીને વિરોધ કર્યો હતો.આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ મણિકમ ટાગોર અને સપ્તગિરિ શંકર ઉલાકાએ માસ્ક પહેર્યાં હતા અને રાહુલ ગાંધીએ તેમનો ઈન્ટરવ્યૂ લીધો

New Update
Rahul Gandhi Interview

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ PM મોદી અને ગૌતમ અદાણીનો રમુજી ઇન્ટરવ્યૂ લઈને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છેજેમાં તેઓ PM મોદી અને ગૌતમ અદાણીનું માસ્ક પહેરેલા સાંસદોને સવાલો પૂછે છે. 

Advertisment W3.CSS

સોમવારે સંસદના ચાલુ શિયાળુ સત્ર વચ્ચે વિપક્ષી સાંસદોએ PM મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ચહેરાના માસ્ક પહેરીને વિરોધ કર્યો હતો.આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ મણિકમ ટાગોર અને સપ્તગિરિ શંકર ઉલાકાએ માસ્ક પહેર્યાં હતા અને રાહુલ ગાંધીએ તેમનો ઈન્ટરવ્યૂ લીધો હતોજેમાં તેમના ફ્યુચરપાર્ટનરશીપ અને મોદી કેમ ઓછું બોલે છે એ અંગે સવાલો કર્યા હતા અને માસ્ક પહેરેલા સાંસદોએ કટાક્ષમાં જવાબો આપ્યા હતા.

Read the Next Article

પહેલગામ આતંકવાદી હુમલા બાદ , અમરનાથ યાત્રાના સમયમાં કરાયો ફેરફાર

પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર યાત્રાધામની સુરક્ષા માટે એક મોટી સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી છે. યાત્રાના કાફલામાં જામર લગાવવામાં આવશે.

author-image
By Connect Gujarat Desk
New Update
amrnath

પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર યાત્રાધામની સુરક્ષા માટે એક મોટી સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી છે. યાત્રાના કાફલામાં જામર લગાવવામાં આવશે.

Advertisment W3.CSS

આ વર્ષે અમરનાથ યાત્રાનો સમયગાળો ઘટાડવામાં આવ્યો છે. આ વખતે યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગયા વખતે અમરનાથ યાત્રા 52 દિવસની હતી. પહેલગામ આતંકવાદી હુમલા બાદ, જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર યાત્રાધામની સુરક્ષા માટે એક મોટી સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી છે. એક સુનિયોજિત યોજના બનાવવામાં આવી છે, જેમાં CRPF, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાનો સમાવેશ થાય છે.

સુરક્ષા માટે CRPF અને અન્ય અર્ધલશ્કરી દળોની કુલ 581 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર પોલીસ પણ હાજર રહેશે. સુરક્ષા ઓડિટ અને તમામ સુરક્ષા રૂટનું ડિજિટલ મેપિંગ કરવામાં આવ્યું છે. CRPF DG પોતે પહેલગામ ગયા હતા અને સુરક્ષાની સમીક્ષા કરી હતી. દરેક મુસાફર અને પોની સવાર માટે ડિજિટલ ઓળખ કાર્ડ બનાવવામાં આવશે.

 

Latest Stories