Connect Gujarat
Featured

જામનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમનની જોરશોરથી તૈયારી

જામનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમનની જોરશોરથી તૈયારી
X

વિકાસલક્ષી કાર્યોના ઉદ્ઘાટન માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે જામનગરની મુલાકાત લેવાના છે. જેને લઈને શહેરમાં તંત્ર દ્વારા સીએમના આગમનને લઈને જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જામનગરમાં 390 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ કરશે. શહેરમાં મુખ્યમંત્રીના આગમન માટે તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

આવતીકાલે જામનગરની મુલાકાત દરમિયાન મુખાયમંત્રી સુભાષબ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીના સૌથી લાંબા ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત મહાપ્રભુજીની બેઠક પાસે અક્ષયપાત્ર યોજનાનુ લોકાર્પણ કરવામાં આવશે. તેમજ પાણી પુરવઠા અને જામનગર મહાપાલિકાના કેટલાક કામોનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે. અંદાજે 390 કરોડના કામો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવવામાં આવનાર છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટી તંત્ર તેમના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓમાં જોતરાય ગયું છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Next Story