Connect Gujarat
Featured

ખોડલધામ ખાતે ખોડિયાર જયંતિની કરાઇ આસ્થાભેર ઉજવણી, મા ખોડલના દર્શન કરી ભક્તોએ કરી ધન્યતાની અનુભૂતિ

ખોડલધામ ખાતે ખોડિયાર જયંતિની કરાઇ આસ્થાભેર ઉજવણી, મા ખોડલના દર્શન કરી ભક્તોએ કરી ધન્યતાની અનુભૂતિ
X

રાજકોટ જિલ્લાના ખોડલધામ ખાતે આજરોજ ખોડિયાર જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. મા ખોડલને ધરાવવામાં આવતા છપ્પન ભોગ સવારથી જ અન્નકૂટ દર્શન મુકાયા હતા. મા ખોડલ પ્રાગટ્ય જયંતી નિમિત્તે ખોડલધામમાં વિશિષ્ટ શણગાર, 8 કિલોગ્રામનો ડાયફ્રુટનો હાર અર્પણ કરાયો હતો.

મહા સુદ આઠમ એટલે કે, ખોડીયાર જ્યંતી. માં ખોડલના પ્રાગટ્ય દિને વિશ્વપ્રસિદ્ધ જેતપુર તાલુકાના કાગવડ ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે છપ્પનભોગ અહિત અન્નકૂટના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે ખોડિયાર જયંતિ નિમિત્તે મા ખોડીયારના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લઈ સૌ ભક્તોને ખોડિયાર જયંતિની શુભેચ્છા પાઠવી હતી.

ખોડિયાર જયંતિના પાવન પ્રસંગે મા ખોડલ વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો, મા ખોડલને 8 કિલો ડ્રાયફ્રૂટ હાર અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ દર વર્ષની જેમ અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવી હતી. ખોડિયાર જયંતિ નિમિત્તે સવારે મા ખોડીયારની આરતી બાદ ભક્તો માટે અન્નકૂટ અને દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સવારે મંદિરના દ્વાર ખુલતા જ માં ખોડલના ખાસ શણગાર અને અન્નકૂટનો અમૂલ્ય દર્શનનો ભક્તોએ લાહ્વો લીધો હતો. માં ખોડલને વિવિધ મીઠાઇ અને ફરસાણ સહિત કુલ 56 વાનગીઓનો ભોગ ધરવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ અન્નકૂટ દર્શનનો ભક્તો લ્હાવો લઈ શકે અને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખોડીયાર જયંતી હોવાથી વહેલી સવારથી ભક્તો મા ખોડલના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી.

Next Story