રાજકોટ: મગફળી કૌભાંડમાં વધુ 5 ઝડપાયા, આરોપીઓના ઘરેથી દસ્તાવેજો કબ્જે કરાયા

New Update
રાજકોટ: મગફળી કૌભાંડમાં વધુ 5 ઝડપાયા, આરોપીઓના ઘરેથી દસ્તાવેજો કબ્જે કરાયા

ઓડિયોક્લિપ વાઈરલ થયા બાદ જેનું નામ ખુલ્યું તે મગનના સાથીદાર માનસિંગ સહિત વધુ પાંચની ધરપકડ કરી છે

મગફળી કૌભાંડમાં પોલીસે મુખ્ય સૂત્રધાર ગુજકોટ કંપનીના વેરહાઉસ મેનેજર મગન ઝાલાવડિયાના તરઘડી ખાતે આવેલા મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસે ઝાલાવડિયાના ઘરમાંથી 146 ગ્રામ સોનું, 5 હજારનું ચાંદી અને રૂ.32 હજાર રોકડા જપ્ત કર્યા હતા. તેમજ જીજ્ઞેશ અને રોહિતના ઘરમાંથી મહત્ત્વના દસ્તાવેજો પણ પોલીસે કબ્જે કર્યા હતા. આ ઉપરાંત ઓડિયોક્લિપ વાઈરલ થયા બાદ જેનું નામ ખુલ્યું તે મગનના સાથીદાર માનસિંગ સહિત વધુ પાંચની ધરપકડ કરી છે.

મગન ઝાલાવડિયાને સાથે રાખી DYSP ભરવાડ સહિતની ટીમ તરઘડી ખાતેના તેના ઘરે પહોંચી હતી. જ્યાં પાંચ કલાકથી વધુ સમય ચાલેલા દરોડામાં પોલીસે તેના ઘરમાંથી કેટલીક વસ્તુઅો જપ્ત કરી વધુ તપાસ આગળ ધપાવી હતી. બીજીબાજુ મગન અને લાઠોદરાના માનસિંગ પોપટ લાખાણી વચ્ચેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાઇરલ થતાં માનસિંગની સંડોવણી પણ કૌભાંડમાં સ્પષ્ટ થતાં પોલીસે માનસિંગની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ગીગન મેરામ ચુડાસમા, દેવદાન માંગા જેઠવા, ધીરૂ કાળા જેઠવા, હમીર બાવા જેઠવાની પણ ધરપકડ કરી છે.

મોટી ધાણેજ સહકારી મંડળીએ ખરીદેલી મગફળીનો હિસાબ જેમાં રખાયો હતો તે કમ્પ્યૂટર અને દસ્તાવેજો આરોપીઓએ ગાયબ કરી દીધા છે. જેને લઈને પોલીસે રિમાન્ડ પર રહેલા ભૂતકોટડાના જીજ્ઞેશ ત્રિભોવન ઉજટિયા અને લખધીરગઢના રોહિત લક્ષ્મણ બોડાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. દરમિયાન આ બંનેના ઘરમાંથી મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. તેમજ ધૂળના ઢેફા મેળવી જે મગફળીની ચોરી કરવામાં આવી હતી., તેમાંથી 6700 ગુણી મગફળી કેશોદના મેસવાણાની ક્રાંતિ ઓઇલ મિલમાં વેચ્યાનું ખૂલતાં પોલીસે મિલમાં દરોડો પાડી દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

યાર્ડમાં સળગેલા બારદાન મગનના વતન નજીકથી મળ્યા, પોલીસ તપાસ શરૂ

ગુજકોટ વેર હાઉસના મેનેજર મગન ઝાલાવડિયાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એક પછી એક કૌભાંડમાં માગનની સંડોવણી બહાર આવી રહી છે. રાજકોટ યાર્ડમાં સળગેલા 17 કરોડથી વધુના બારદાનનો જથ્થો તેના વતન તરઘડી નજીકથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ જામનગર રોડ પર સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ કરી હોટલ ખડકી હોવાનો આક્ષેપ પણ થતા જિલ્લા કલેકટરે તપાસના આદેશો આપ્યા છે.

રાજકોટના જૂના માર્કેટીગ યાર્ડના 17 કરોડથી વધુની કિંમતના બારદાનમાં આગ લાવવાની ઘટના બની હતી. સળગી ગયેલા બારદાનનો જથ્થો ગુજકોટ વેર હાઉસના મેનેજર મગન ઝાલાવડિયાના વતન તરધડી ખાતેથી મળી આવ્યો છે. જેને લઈને આ ઘટનામાં પણ મગનની સંડોવણી હોવાની શંકા જાગી છે. આ અંગે SP બલરામ મીણાએ જણાવ્યું હતું કે, હમણાં જ જાણવા મળ્યું છે કે, તરઘડી નજીકથી સળગેલા કોથળા મળ્યા છે. હવે આ કોથળા શેના છે ? અને જે જમીન પરથી આ બારદાન મળ્યા છે તે જમીન કોની છે ? તે અંગેની તપાસ ચાલી રહી છે જેમાં મગન શંકાના દાયરામાં હોવાનું પણ તેમણે કહ્યું હતું.

Read the Next Article

ભરૂચ : પીઢ કવિ સ્વ. પ્રભુદત્ત ભટ્ટને "બુધ કવિ સભા" અંતર્ગત શબ્દાંજલિ સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરાય...

"બુધ કવિ સભા"માં હાજર દિગ્ગજ અને નવોદિત કવિઓ અને કવયિત્રીઓ દ્વારા આ સાહિત્ય જગતના વડલા સમાન સ્વ. પ્રભુદત્ત ભટ્ટ સાહેબ પ્રત્યેની આગવી સંવેદનાઓ અને શબ્દાંજલિ પાઠવી હતી.

New Update
gja;;

ભૃગુકચ્છ પ્રદેશના સાહિત્ય જગતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને ભરૂચમાં ચાલતી અગ્રેસર સાહિત્યિક સંસ્થાઓ જેવી કેબુધ કવિ-સભાશબ્દ સાંનિધ્ય અને ભરૂચ જિલ્લા સાહિત્ય વર્તુળ જેવી સંસ્થાઓ માટે સ્થાપકપ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક તરીકે જોડાયેલા પીઢ કવિસાહિત્યકાર સ્વ. પ્રભુદત્ત ભટ્ટના આકસ્મિક અવસાન બાદ છવાયેલી ગમગીનીને અનુસરીને ગત તા. 2જી જુલાઈ 2025ને બુધવારના રોજ "બુધ કવિ-સભા" અંતર્ગત તેઓને શબ્દાંજલિ આપવા એક'શ્રદ્ધાસુમનકાર્યક્રમનું આયોજન શ્રવણ વિદ્યાધામ ખાતે થયું હતું.

"બુધ કવિ સભા"માં હાજર દિગ્ગજ અને નવોદિત કવિઓ અને કવયિત્રીઓ દ્વારા આ સાહિત્ય જગતના વડલા સમાન સ્વ. પ્રભુદત્ત ભટ્ટ સાહેબ પ્રત્યેની આગવી સંવેદનાઓ અને શબ્દાંજલિ પાઠવી હતી. સદર બુધ કવિ-સભાએ'શ્રદ્ધાસુમનઉપક્રમમાં હાજર રહેલ સૌ શિક્ષણ જગતના અગ્રણીઓરાજ્યના તેમજ ભરૂચ જિલ્લાના પ્રથમ હરોળના કવિઓ અને કવયિત્રીઓએ કરેલ સ્વ. પ્રભુદત્ત ભટ્ટના કાવ્ય સંગ્રહોમાંથી ચુનંદા કાવ્યોનું કાવ્યપઠન અને સ્વરચિત રચનાઓ થકી પાઠવેલ ભાવપૂર્ણ શબ્દાંજલિ અર્પણ કરી કવિકર્મનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

વ્યથા ના કદી મ્હોં જુબાની રહી છે,

તમારી કથામાં ખુમારી રહી છે.

ભલે હોય નાનાં છતાં માન આપો,

તમારી ગજબ‌ ખાનદાની રહી છે.

તમે વ્હાલ આપોસદા ખ્યાલ રાખો,

મહોબત તમારી નિશાની રહી છે.

તમે શ્વાસ લીધાં કવિતા સ્વરૂપે,

તમારી અલગ જિંદગાની રહી છે.

તમારા સ્મરણમાં નયન મારા ભીનાં,

ને ભીની ને ભીની કહાની રહી છે.

'અભિગમ'

આ સભામાં ઉંમર અથવા પ્રતિકૂળ સંજોગોને કારણે હાજર ન રહી શકનાર સર્વે મહાનુભાવોના ભાવ સંદેશાઓ વાંચનમાં લઈ સવિશેષ નોંધ લીધી હતી. શ્રવણ વિદ્યાધામ તરફથી સતત ગુજરાતી ભાષાની વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે પીઠબળ પૂરું પાડવામાં અગ્રેસર હોવાને કારણે અભિભૂત "બુધ કવિ-સભા"ના સભ્યો દ્વારા વ્યક્ત કૃતજ્ઞતાભાવ નોંધાવે છે. સ્વ. પ્રભુદત્ત ભટ્ટના મૃત્યુ પર્યંતની આ સમગ્ર'શ્રદ્ધાસુમનબેઠકનું સુંદર સંચાલન કરતાં જે.સી.વ્યાસ ભાવવિભોર થયા હતાજ્યારે જતીન પરમારે સૌનો આભાર વ્યક્ત કરી હાજર રહેલ દિવંગતના કુટુંબીજનોની વિશેષ હાજરી વચ્ચે સ્વ. પ્રભુદત્ત ભટ્ટના આત્માને દિવ્ય પરમ શાંતિ પાઠવી અંતરપ્રાર્થી બન્યા હતા.

Latest Stories