રાજકોટ : જેતપુરની એસ. કુમાર રેસીડેન્સીના મકાનમાં લાગી આગ, સ્થાનિકોએ મેળવ્યો આગ પર કાબુ...
જેતપુર-જુનાગઢ રોડ ઉપર આવેલ એસ. કુમાર રેસીડેન્સીના મકાનમાં ગેસ ચાલુ કરવા જતાં સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
BY Connect Gujarat Desk3 Jun 2023 11:25 AM GMT
X
Connect Gujarat Desk3 Jun 2023 11:25 AM GMT
રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલ એસ. કુમાર રેસીડેન્સીના મકાનમાં ગેસ ચાલુ કરવા જતાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, જેતપુર-જુનાગઢ રોડ ઉપર આવેલ એસ. કુમાર રેસીડેન્સીના મકાનમાં ગેસ ચાલુ કરવા જતાં સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના બનાવમાં આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ઘટનામાં એક મહિલા દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ, નગરપાલિકાના ફાયર વિભાગની બેદરકારી પણ સામે આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. ફાયર ટેન્ડરમાં પ્રેસરનો અભાવ જોવા મળતા કામે લાગ્યું નહોતું, ત્યારે સ્થાનિકોએ જાતે રેતી અને પાણી ઉલેચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં ઘરવખરી બળીને ખાક થઈ જતા મકાન માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
Next Story