Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL-2022 : રવિન્દ્ર જાડેજાએ ટીમની કેપ્ટનશીપ છોડી, મહેન્દ્ર સિંહ ધોની ફરી બન્યો ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન

ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વર્તમાન કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે.

IPL-2022 : રવિન્દ્ર જાડેજાએ ટીમની કેપ્ટનશીપ છોડી, મહેન્દ્ર સિંહ ધોની ફરી બન્યો ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન
X

ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વર્તમાન કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. મહત્વની વાત એ છે કે જૂના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ને આ જવાબદારી પાછી આપવામાં આવી છે. જાડેજાની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની વેબસાઈટ પર એક નિવેદન જારી કરીને આ ઘટનાક્રમની જાણકારી આપી છે. ધોનીએ વર્તમાન IPL સિઝન શરૂ થાય તે પહેલા જ કેપ્ટન્સી છોડી દીધી હતી. આ પછી જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર જાડેજાએ કેપ્ટનશીપ છોડીને ધોનીને જવાબદારી સોંપી છે. ચેન્નાઈના ચાહકો માટે આ ખુશીની વાત હોઈ શકે છે.

આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી. ચેન્નાઈની ટીમે 8 મેચમાં 6 વખત હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઈની ટીમ ટેબલમાં નવમા સ્થાને છે.

Next Story