ઈન્ડિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે આવતીકાલે પ્રથમ વન-ડે સીરિઝ રમાશે
ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ રમાશે
BY Connect Gujarat Desk17 Aug 2022 4:27 PM GMT
X
Connect Gujarat Desk17 Aug 2022 4:27 PM GMT
ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ રમાશે. સીરિઝની પ્રથમ મેચ ગુરુવારે (18 ઓગસ્ટ) રમાશે. બાકીની બે મેચો 20 અને 22 ઓગસ્ટે રમાશે. તમામ મેચ રાજધાની હરારેમાં રમાશે.
બંને ટીમ 6 વર્ષ પછી આમને-સામને છે. છેલ્લી વખત ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 22 જૂન 2016ના રોજ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. ત્યારબાદ ભારતે હરારે ટી-20 મેચ 3 રને જીતી લીધી હતી.
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, સંજુ સેમસન, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર.
Next Story