સુરત : અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન થતા કામરેજ ખાતે VHP દ્વારા ઉજવણી કરાઇ
BY Connect Gujarat5 Aug 2020 9:50 AM GMT
X
Connect Gujarat5 Aug 2020 9:50 AM GMT
અયોધ્યા ખાતે બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભારે ઉત્સાહ સાથે કામરેજ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દૂ સમાજની માંગ હતી કે, અયોધ્યામાં રામ મંદિર બને ત્યારે સુપ્રીમ કોર્ટ તરફથી મંદિર બનાવવાનો ચુકાદો અપાતાં બુધવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, ત્યારે ઉત્સાહ સાથે કામરેજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા, ભાજપ જિલ્લા પ્રમુખ દિલીપ સિંહ રાઠોડ તેમજ મોટી સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story