સુરત : 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી 23 વર્ષની શિક્ષિકા 390 KM દૂરથી ઝડપાય, શિક્ષિકાનો ઇરાદો જાણવા પોલીસની મથામણ

4 દિવસ બાદ રાજસ્થાન બોર્ડર પર શામળાજી પાસેથી પોલીસે શિક્ષિકાને ઝડપી લીધી છે, ત્યારે હાલ તો હાલ શિક્ષિકા અને વિદ્યાર્થીને સુરત ખાતે લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી

New Update
  • 23 વર્ષની શિક્ષિકાના 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જવાનો મામલો

  • ઘટનાના 4 દિવસ બાદ રાજસ્થાન બોર્ડર ઉપરથી બન્ને મળી આવ્યા

  • શામળાજી પાસેથી પોલીસે વિદ્યાર્થી સાથે જ શિક્ષિકાને ઝડપી લીધી

  • શિક્ષિકા અને વિદ્યાર્થીને સુરત ખાતે લાવી વધુ તપાસ હાથ ધરાય

  • વિદ્યાર્થીને ભગાવી જવા પાછળનો ઇરાદો જાણવા પોલીસની મથામણ

સુરતમાં 23 વર્ષની એક શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જવાની ચકચારી ઘટના ચર્ચાસ્પદ બની છે. આ ઘટનાના 4 દિવસ બાદ રાજસ્થાન બોર્ડર પર શામળાજી પાસેથી પોલીસે શિક્ષિકાને ઝડપી લીધી છેત્યારે હાલ તો હાલ શિક્ષિકા અને વિદ્યાર્થીને સુરત ખાતે લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત શહેરના પુણા વિસ્તારમાં રહેતો અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા કરિયાણાના વેપારીના 11 વર્ષીય પુત્રને તેની નજીકના વિસ્તારમાં જ રહેતી તેની ટ્યૂશન-કમ-સ્કૂલ શિક્ષિકા ગત તા. 25 એપ્રિલ-2025ની બપોરે ભગાડી ગઇ હતી. વિદ્યાર્થી અને શિક્ષિકાનો પત્તો મેળવવાના ઇરાદે પોલીસે 4 ટીમ બનાવી હતી. આ દરમિયાન શિક્ષિકાનો મોબાઈલ ફોન સુરત રેલવે સ્ટેશન પાસેથી બંધ થયો હોયતેઓ ટ્રેન અથવા તો નજીકમાં આવેલ સરકારી બસ સ્ટેશનથી બસ મારફતે ક્યાંક ગયાં હોવાની પ્રબળ આશંકા સાથે પોલીસે જોરશોરથી તપાસ શરૂ કરી હતી.

આખી રાત CCTV ફૂટેજ ફંફોળ્યા બાદ પણ પોલીસને સુરત રેલવે સ્ટેશન કેબસ સ્ટેશન પર આ શિક્ષિકા અને વિદ્યાર્થી બેસતાં નહિ દેખાતાં પોલીસ ચકરાવે ચઢી હતી. જોકેસોસાયટીના CCTV ફૂટેજ ચેક કરતાં આ બાળકને તેની શિક્ષિકા સાથે લઈ જતી હોવાનું અને તેના ખભા પર એક બેગ પણ નજરે પડ્યું હતું. છેલ્લા 4 દિવસથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને બસમાં સફર કરીને સુરતથી 390 કિમીથી પણ વધુ દૂર પહોંચી ગયા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કેશિક્ષિકા અને વિદ્યાર્થી બન્ને છેલ્લાં 3 વર્ષથી એકાબીજાને ઓળખે છે.

બન્નેના પરિવારજનો પણ એકબીજાના પરિવારને ઓળખે છેઅને સંપર્કમાં પણ છે. વિદ્યાર્થી આ શિક્ષિકા પાસે છેલ્લાં 3 વર્ષથી ટ્યૂશન જતો હતો. પહેલાં 3 વિદ્યાર્થી હતાજ્યારે છેલ્લા એક વર્ષથી આ એક જ વિદ્યાર્થી તેના ઘરે ટ્યૂશન માટે જતો હતો. જેથી બન્ને એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા. તો બીજી તરફશિક્ષિકાની ઉંમર 23 વર્ષ થઈ ગઈ હોવાથી પરિવારજનો લગ્ન માટે કહી રહ્યાં હતાંઅને પરિવારજનોએ ઠપકો પણ આપ્યો હતો.

આ સાથે વિદ્યાર્થીને પણ પરિવારજનો અભ્યાસ માટે ઠપકો આપતા હતા. આ દરમિયાન શિક્ષિકાએ ભાગી જવા માટે તમામ તૈયારીઓ કરી લીધી હતી. 11 વર્ષીય વિદ્યાર્થી છેલ્લાં ત્રણ વર્ષથી 23 વર્ષીય શિક્ષિકા પાસે ટ્યૂશન જતો હતો. અગાઉ ત્યાં કુલ 3 વિદ્યાર્થી ભણવા આવતા હતા. પણ છેલ્લા એક વર્ષથી તે એકલો જ ભણતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેઆ અજીબ ઘટના સુરત શહેરમાં ચર્ચાસ્પદ બની છે. વિદ્યાર્થીને ભગાવી જવા પાછળનો ઇરાદો શું હતોતે જાણવા પોલીસ મથી રહી છે.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.