સુરત: વ્યાજના ચક્કરમાં સપડાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત

શાબીર મુત્સુફા શેખ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેને દર મહિને 30 હજાર ચૂકવતો હતો, પરંતુ તે વ્યાજનું પણ વ્યાજ લગાવી ઉઘરાણી કરતો હતો.

New Update
Attempt Suicide

સુરતમાં મિત્ર પાસેથી વ્યાજે લીધેલા એક લાખનું વ્યાજ ચૂકવવા બીજા વ્યાજખોર પાસેથી બેગમપુરાના યુવકે નાણાં લીધા હતા.બંનેનું વ્યાજ ભરીને થાકવા છતાં તેનો અંત નહિ આવતાયુવકે ઝેરી દવા ગટગટાવી મોતને વહાલુ કરી લીધું હતું.

સુરતના બેગમપુરા રહમાન મંઝિલમાં રહેતા ગુલામખ્વાજા ઉર્ફે ગુલ્લુમીયાં ઇસ્માલ શેખએ ગત12મીએ તેના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.ગંભીર હાલતમાં તેને બુરહાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હોસ્પિટલ દ્વારા મહિધરપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ત્યાં દોડી ગઇ હતી.

યુવકની પત્ની સમીરાબાનુએ આપેલા નિવેદનને આધારે પોલીસે બેગમપુરા તુલસી ફળિયુંકાલુશાહીના મહોલ્લામાં રહેતા શાબીર ગુલામ મુસ્તુફા શેખ અને ઇબ્રાહિમ ચાચા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પરચુરણ એજન્ટ તરીકે કામ કરતા ગુલામ ખ્વાજાને કોરોના બાદ આર્થિક મુશ્કેલી ઊભી થતાં તેણે શાબીર મુત્સુફા શેખ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેને દર મહિને30 હજાર ચૂકવતો હતોપરંતુ તે વ્યાજનું પણ વ્યાજ લગાવી ઉઘરાણી કરતો હતો.

તેની ચૂકવણી કરવા ઇબ્રાહિમ ચાચા પાસેથી35 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. પહેલા એક વ્યાજખોર હતોહવે બે થઈ ગયા હતા.બંને વારંવાર વ્યાજને લઈ ધાકધમકી આપતા હોવાથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી.જેનું રાત્રે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મહિધરપુરા પોલીસે ગુન્હો નોંધીનેવધુ તપાસ શરૂ કરી હતી.

Read the Next Article

સુરત : પુણામાં કાપડના વેપારી પર ચપ્પુથી હુમલો કરનાર શખ્સની ધરપકડ, પોલીસ ઘટનાનું કર્યું રિકંસ્ટ્રક્શન

ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. ઉશ્કેરાયને હિતેશે કમરના ભાગે છુપાવેલું ચપ્પુ કાઢી ઉદય પટગીર પર ઉપરાછાપરી ઘા મારી દીધા હતા..

New Update
  • પુણામાં કાપડના વેપારી પર હુમલાનો મામલો 

  • યુવકે ચપ્પુથી કર્યો હતો જીવલેણ હુમલો 

  • વેપારી યુવકની પત્નીને કરતો હતો મેસેજ 

  • પોલીસે હુમલાખોર યુવકની કરી ધરપકડ 

  • આરોપીનું સરઘસ કાઢીને રિકંસ્ટ્રક્શન કરાયું 

સુરતના પુણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં બે દિવસ પહેલા એક યુવકે કાપડના વેપારીને ચપ્પુના ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીવટીવીમાં કેદ થઈ જવા પામી હતી.આ મામલે પુણા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી. આ સાથે યુવકને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

સુરતના પુણામાં વિક્રમનગર સોસાયટીમાં રહેતા ઉદય મનુભાઈ પટગીર બોમ્બે માર્કેટ-પુણા રોડ ખાતે આવેલા અનુપમ પ્લાઝામાં રૂદ્ર ક્રિએશનના નામે લેલપટ્ટી-કુર્તી બનાવવાનું કારખાનું ચલાવે છે. ગત 18 જુલાઈના રોજ ઉદય પટગીર દુકાનેથી ઓળખીતા લાભુબેનના ઘરે મુક્તિધામ સોસાયટી-પુણા લેસપટ્ટીનો માલ લેવા ગયો હતો. જ્યાંથી માલ લઇ મોપેડ પર જવા નીકળતા હિતેશ નકુમે ધસી જઈ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

રસ્તા પર જ ઉદય અને હિતેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. ઉશ્કેરાયને હિતેશે કમરના ભાગે છુપાવેલું ચપ્પુ કાઢી ઉદય પટગીર પર ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. રસ્તા પર ભારે હંગામો મચી જતા લોકો એકત્ર થઈ ગયા હતા. જેમાં મહિલાઓએ હિતેશને પકડી લેતા ઉદયનો બચાવ થયો હતોપણ ગંભીર ઇજા પહોંચી હતી.લોહીલુહાણ ઉદયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપીને મોબાઈલ જપ્ત કરી તેમાં કરેલા મેસેજની વિગતો મેળવવાની કવાયત શરૂ કરી છે. જ્યારે આરોપી હિતેશને સાથે રાખીને મુક્તિધામ સોસાયટીમાં ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા રિકન્ટ્રક્શનની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા.કાપડ વેપારી હિતેશની પત્નીને મોબાઇલમા મેસેજ કરતો હોવાની રીસ રાખીને હિતેશે હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.